________________
૮૨
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
अहमेकः खलु शुद्धो दर्शनज्ञानमयः सदाऽरूपी । नाप्यस्ति मम किञ्चिदप्यन्यत्परमाणुमात्रमपि।। ३८ ।।
च
यो हि नामानादिमोहोन्मत्ततयात्यन्तमप्रतिबुद्धः सन् निर्विण्णेन गुरुणानवरतं प्रतिबोध्यमानः कथञ्चनापि प्रतिबुध्य निजकरतलविन्यस्तविस्मृतचामीकरावलोकनन्यायेन परमेश्वरमात्मानं ज्ञात्वा श्रद्धायानुचर्य सम्यगेकात्मारामो ભૂત: स खल्वहमात्मात्मप्रत्यक्षं चिन्मात्रं ોતિ:, समस्तक्रमाक्रमप्रवर्तमानव्यावहारिकभावैश्चिन्मात्राकारेणाभिद्यमानत्वादेकः, नारकादिजीवविशेषाजीवपुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणव्यावहारिकनवतत्त्वेभ्यष्टङ्कोत्कीर्णैकज्ञायकस्वभावभावेनात्यन्तविविक्तत्वाच्छुद्धः,
सामान्यविशेषोपयोगात्मकतानतिक्रमणाद्दर्शनज्ञानमयः,
चिन्मात्रतया સ્પર્શ
रसगन्धवर्णनिमित्तसंवेदनपरिणतत्वेऽपि स्पर्शादिरूपेण स्वयम-परिणमनात्परमार्थतः सदैवारूपी, इति प्रत्यगयं स्वरूपं सञ्चेतयमानः प्रतपामि । एवं प्रतपतश्च मम बहिर्विचित्रस्वरूप
ગાથાર્થઃ-દર્શનજ્ઞાનચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કેઃ [ વસ્તુ] નિશ્ચયથી [ અહમ્ ] હું [yō:] એક છું, [ શુદ્ધ: ] શુદ્ધ છું, [ વર્શનજ્ઞાનમય: ] દર્શનજ્ઞાનમય છું, [સવા અપી] સદા અરૂપી છું; [િિચત્ અપિ અન્યત્] કાંઈ પણ અન્ય પરદ્રવ્ય [ પરમાણુમાત્રમ્ પિ] પરમાણુમાત્ર પણ [મન ન અપિ અસ્તિ] મારું નથી એ નિશ્ચય છે.
ટીકા:-જે, અનાદિ મોહરૂપ અજ્ઞાનથી ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં જે કોઈ પ્રકારે (મહા ભાગ્યથી ) સમજી, સાવધાન થઈ, જેમ કોઈ મૂઠીમાં રાખેલું સુવર્ણ ભૂલી ગયો હોય તે ફરી યાદ કરીને તે સુવર્ણને દેખે તે ન્યાયે, પોતાના ૫રમેશ્વર (સર્વ સામર્થ્યના ધરનાર) આત્માને ભૂલી ગયો હતો તેને જાણીને, તેનું શ્રદ્ધાન કરીને તથા તેનું આચરણ કરીને (–તેમાં તન્મય થઈને) જે સમ્યક્ પ્રકારે એક આત્મારામ થયો, તે હું એવો અનુભવ કરું છું કે : હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે; ચિન્માત્ર આકા૨ને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી ભેદરૂપ થતો નથી માટે હું એક છું; નર, નારક આદિ જીવના વિશેષો, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષસ્વરૂપ જે વ્યાવહારિક નવ તત્ત્વો તેમનાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ વડે, અત્યંત જુદો છું માટે હું શુદ્ધ છું; ચિન્માત્ર હોવાથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી માટે હું દર્શનજ્ઞાનમય છું; સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જેનું નિમિત્ત છે એવા સંવેદનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ સ્પર્શદિરૂપે પોતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com