________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
SO
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
यो मोहं तु जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम्। तं जितमोहं साधुं परमार्थविज्ञायका ब्रुवन्ति।। ३२ ।।
यो हि नाम फलदानसमर्थतया प्रादुर्भूय भावकत्वेन भवन्तमपि दूरत एव तदनुवृत्तेरात्मनो
भाव्यस्य व्यावर्तनेन
हठान्मोहं न्यक्कृत्योपरतसमस्तभाव्यभावकसङ्करदोषत्वेनैकत्वे टङ्कोत्कीर्णं विश्वस्याप्यस्योपरि तरता प्रत्यक्षोद्योततया नित्यमेवान्तःप्रकाशमानेनानपायिना स्वतःसिद्धेन परमार्थसता भगवता ज्ञानस्वभावेन द्रव्यान्तरस्वभावभाविभ्यः सर्वेभ्यो भावान्तरेभ्यः परमार्थतोऽतिरिक्तमात्मानं सञ्चेतयते स खलु जितमोहो जिन इति द्वितीया निश्चयस्तुतिः।
एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायसूत्राण्येकादश पञ्चानां श्रोत्रचक्षुर्धाणरसनस्पर्शनसूत्राणा-मिन्द्रियसूत्रेण पृथग्व्याख्यात
ગાથાર્થ- [ : ] જે મુનિ [ મોદં] મોહને [ નિત્વ ] જીતીને [માત્માન+] પોતાના આત્માને [ જ્ઞાનસ્વમારાવિશું] જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવોથી અધિક [નાનાતિ] જાણે છે [તં સીધું] તે મુનિને [ પરમાર્થવિજ્ઞાયT: ] પરમાર્થના જાણનારાઓ [નિયમોÉ] જિતમોહ [ ધ્રુવત્તિ] કહે છે.
ટીકા-મોહકર્મ ફળ દેવાના સામર્થ્ય વડે પ્રગટ ઉદયરૂપ થઈને ભાવકપણે પ્રગટ થાય છે તો પણ તેના અનુસાર જેની પ્રવૃત્તિ છે એવો જે પોતાનો આત્માભાવ્ય, તેને ભેદજ્ઞાનના બળ વડે દૂરથી જ પાછો વાળવાથી એ રીતે બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને, સમસ્ત ભાવ્યભાવક-સંકરદોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ (નિશ્ચલ) અને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વ અન્યભાવોથી પરમાર્થે જાદા એવા પોતાના આત્માને જે (મુનિ) અનુભવે છે તે નિશ્ચયથી “જિતમોહ જિન” (જેણે મોહને જીત્યો છે એવા જિન) છે. કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ સમસ્ત લોકના ઉપર તરતો, પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનાશી, પોતાથી જ સિદ્ધ અને પરમાર્થસત્ એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે ભાવ્યભાવક ભાવના સંકરદોષને દૂર કરી બીજી નિશ્ચયસ્તુતિ છે.
આ ગાથાસૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે; તેમાં “મોહ' પદને બદલીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય મૂકીને અગિયાર સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન, સ્પર્શન- એ પાંચનાં સૂત્રો ઇંદ્રિયસૂત્રદ્વારા જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં; એમ સોળ સૂત્રો જુદાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com