________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आद। तं खलु जिदिदियं ते भणंति जे णिच्छिदा साहू।। ३१ ।। य इन्द्रियाणि जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम्। तं खलु जितेन्द्रियं ते भणन्ति ये निश्चिताः साधवः।। ३१ ।।
यः खलु निरवधिवन्धपर्यायवशेन प्रत्यस्तमितसमस्तस्वपरविभागानि निर्मलभेदाभ्यासकौशलोपलब्धान्तःस्फुटातिसूक्ष्मचित्स्वभावावष्टम्भबलेन शरीरपरिणामापन्नानि द्रव्येन्द्रियाणि, प्रतिविशिष्टस्वस्वविषयव्यवसायितया खण्डश: आकर्षन्ति प्रतीयमानाखण्डैकचिच्छक्तितया
ભાવેન્દ્રિયાળ, ग्राह्यग्राहकलक्षणसम्बन्धप्रत्यासत्तिवशेन सह संविदा परस्परमेकीभूतानिव चिच्छक्ते: स्वयमेवानुभूयमानासङ्गतया भावेन्द्रियावगृह्यमाणान्
જીતી ઈદ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧.
ગાથાર્થ:- [ :] જે [ રુન્દ્રિયાળ] ઇંદ્રિયોને [ નિત્વા] જીતીને [ જ્ઞાનસ્વભાવાધિ૬] જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક [ માત્માન+] આત્માને [ નાનાતિ] જાણે છે [ā] તેને, [૨ નિશ્ચિત : સાધવ:] જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે [તે] તેઓ, [ 7 ] ખરેખર [જિતેન્દ્રિય] જિતેંદ્રિવ [ મળત્તિ] કહે છે.
ટીકાઃ- (જે મુનિ દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદાં કરીને સર્વ અન્યદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે.) અનાદિ અમર્યાદરૂપ બંધપર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે (અર્થાત્ જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી) એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ–અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જાદી કરી; એ, દ્રવ્યન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે (અર્થાત્ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે, એવી ભાવેન્દ્રિયોને, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ, ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન ( અનુભવ) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા, ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇંદ્રિયોના વિષયભૂત સ્પર્ધાદિ પદાર્થો તેમને,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com