________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[ ૬૩ अपमानादिनां चापगम उपायमाह
यदा मोहात्प्रजायेते रागद्वेषौ तपस्विनः ।
तदैव भावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ।। ३९ ।। टीका- मोहान्मोहनीयकर्मोदयात्। यदा प्रजायेते उत्पद्यते। कौ ? रागद्वेषौ। कस्य ? तपस्विनः। तदैव रागद्वेषोदयकाल एव। आत्मानं स्वस्थं बाह्यविषयाव्यावृत्तस्वरूपस्थं भावयेत्। शाम्यत उपशमं गच्छतः। रागद्वेषौ। क्षणात् क्षणमात्रेण।।३९।।
અપમાનાદિને દૂર કરવાનો ઉપાય :
શ્લોક ૩૯ અન્વયાર્થ: (થવા) જે સમયે (તપસ્વિન:) તપસ્વી અન્તરાત્માને (મોદાત્ ) મોહવશાત્ (RTIષ) રાગ અને દ્વેષ (પ્રાયતે) ઉત્પન્ન થાય (તી વ) તે જ સમયે તે તપસ્વીએ (સ્વરશું માત્માન) શુદ્ધસ્વરૂપની (ભાવયેત ) ભાવના કરવી. એમ કરવાથી રાગ-દ્વેષાદિ (ક્ષત્િ ) ક્ષણવારમાં (શીખ્યત:) શાન્ત થઈ જાય છે.
ટીકા : મોહથી એટલે મોહનીય કર્મના ઉદય નિમિત્તે, જ્યારે પેદા થાય-ઉત્પન્ન થાય, કોણ (બે)? રાગ અને દ્વેષ. કોને (ઉત્પન્ન થાય)? તપસ્વીને, ત્યારે જ અર્થાત્ રાગ-દ્વેષના ઉદયકાલે જ સ્વસ્થ આત્માની અર્થાત્ બાહ્ય વિષયોથી વ્યાવૃત્ત થઈ (પાછો હઠી) સ્વરૂપમાં સ્થિત થયેલા આત્માની-ભાવના કરવી. તેમ કરવાથી રાગ-દ્વેષ ક્ષણમાં-ક્ષણમાત્રમાં-ઉપશમે છે. એટલે શાંત થઈ જાય છે.
ભાવાર્થ : અસ્થિરતાના કારણે મોહવશ જ્યારે અંતરાત્માને રાગ-દ્વેષાદિ ઉત્પન્ન થાય ત્યારે ચિત્તને પર પદાર્થોથી હુઠાવી સ્વસમ્મુખ વાળી શુદ્ધાત્માને ભાવવો. તેમ કરવાથી ક્ષણવારમાં રાગ-દ્વેષાદિ શાન્ત થઈ જાય છે.
ભેદવિજ્ઞાન દ્વારા આત્મા અને શરીરાદિને ભિન્ન ભિન્ન જાણીને શુદ્ધાત્માની ભાવના કરવી તે જ રાગ-દ્વેષાદિ વિકારોને નાશ કરવાનો ઉપાય છે.
વિશેષ સમ્યગ્દષ્ટિ જીવને ભૂમિકાનુસાર રાગ-દ્વેષ થાય છે. પણ તેને તે વખતે અંતરમાં આત્માનું ભેદજ્ઞાન છે. તે બાહ્ય નિમિત્તો અને વિકારને પોતાના આત્મસ્વરૂપથી ભિન્ન માને છે. તે માટે તેને આદર નથી. અવશપણે-અસ્થિરતાને લીધે જે રાગ-દ્વેષ થાય છે તેને તે પોતાનું સ્વરૂપ માનતો નથી. તેને તો પોતાના સ્વરૂપ તરફ જ દષ્ટિ છે. તે અસ્થિરતાના રાગ-દ્વેષને ટાળવા માટે ચૈતન્યસ્વભાવની જ ભાવના ભાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com