________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
૫૦] तस्यात्मनः कीदृशः तत् प्रतिपत्त्युपाय इत्याह
सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनान्तरात्मना
यत्क्षणं पश्यतो भाति तत्तत्त्वं परमात्मनः।।३०।। टीका- संयम्य स्वविषये गच्छन्ति निरुध्य। कानि ? सर्वेन्द्रियाणि पञ्चापीन्द्रियाणि। तदनन्तरं स्तिमितेन स्थिरीभूतेन। अन्तरात्मना मनसा। यत्स्वरूपं भाति। किं कुर्वतः ? क्षणं पश्यतः क्षणमात्रमनुभवतः बहुतरकालं मनसा स्थिरीकर्तुमशक्यत्वात् स्तोककालं मनोनिरोधं कृत्वा पश्यतो यच्चिदानन्दस्वरूपं प्रतिभाति तत्तत्त्वं तद्रूपं तत्त्वं स्वरूपं परमात्मनः।।३०।।
ઉઘાડ ન્યાય-નેત્રને, નિહાળ રે! નિહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું.” “અહા! જે અનંતસુખનું ધામ છે એવા ચૈતન્ય-સ્વભાવમાં તો તને મિત્રતા ન રહીતેમાં ઉત્સાહ અને પ્રેમ ન આવ્યો અને અનંત દુઃખનું ધામ એવા જે બાહ્ય વિષયો-તેમાં તને સુખબુદ્ધિ થઈપ્રેમ આવ્યો-ઉત્સાહ આવ્યો, એ કેવી વિચિત્રતા છે! અરે જીવ! હવે તારા જ્ઞાનચક્ષુને ઉઘાડીને જો, રે જો, કે, “તારો સ્વભાવ દુઃખરૂપ નથી, પણ બાહ્ય વિષયો તરફનું તારું વલણ એકાંત દુઃખરૂપ છે. તેમાં સ્વપ્નય સુખ નથી” આમ વિવેકથી વિચારી તારા અંતર સ્વભાવ તરફ વળ અને બાહ્ય વિષયોમાં સુખ-બુદ્ધિ છોડીને તેમનાથી નિવૃત્ત થા, નિત્ય નિર્ભય સ્થાન અને સુખનું ધામ તો તારો આત્મા જ છે.”
તેથી શુદ્ધાત્મસ્વરૂપના સ્વસંવેદન સિવાય અન્ય કોઈ અભય સ્થાન નથી. સંસાર-દુઃખના ત્રાસના અભાવનું તે એક જ સ્થાન છે, અર્થાત્ સુખનું એ એક જ સ્થાન છે, શરીર-પુત્રાદિ બાહ્ય પદાર્થો-કોઈ સુખનું સ્થાન નથી. ૨૯.
તે આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય કેવો છે તે કહે છે:
શ્લોક ૩૦. અન્વયાર્થ : (સર્વેન્દ્રિયાજિ) સર્વ ઇન્દ્રિયોને (સંન્ચ) રોકીને (તિનિતેન) સ્થિર થએલા (સત્તરાત્મની) અન્તરાભાદ્વારા (ક્ષ પ્રશ્યત:) ક્ષણ માત્ર જનારને-અનુભવ કરનાર જીવને (યત્ ) જે-ચિદાનંદસ્વરૂપ (માતિ) પ્રતિભાસે છે (તત્વ) તે (પરમાત્મ: તત્ત્વમ્ ) પરમાત્માનું સ્વરૂપ છે.
ટીકા : પોતપોતાના વિષયોમાં જતી-પ્રવર્તતી-કોણ (પ્રવર્તતી)? સર્વ ઇન્દ્રિયો, એટલે પાંચ ઇન્દ્રિયો, તેને રોકીને-નિરોધીને, ત્યારબાદ સ્થિર થએલા અન્તરાત્મા વડે એટલે મન વડે જે સ્વરૂપ ભાસે છે, શું કરતાં? ક્ષણ વાર જોતાં-ક્ષણમાત્ર અનુભવતાં-અર્થાત બહુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com