SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮] સમાધિતંત્ર नन्वात्मभावनाविषये कष्टपरम्परासद्भावेन भयोत्पत्तेः कथं कस्यचित्तत्र प्रवृत्तिरित्याशङ्का निराकुर्वन्नाह मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद्भयास्पदम् । यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ।। २९ ।। टीका- मूढात्मा बहिरात्मा। यत्र शरीरपुत्रकलत्रादिषु। विश्वस्तोऽवंचकाभिप्रायेण विश्वासं प्रतिपन्नः -मदीया एते अहमेतेषामितिअभेदबुद्धिं गत इत्यर्थः। ततो नान्यद्भयास्पदं ततः शरीरादेर्नान्यद्भयास्पदं संसारदुःखत्रासस्यास्पदं स्थानम्। यतो भीत: यतः परमात्मस्वरूपसंवेदनाद्भीत: त्रस्त। ततो नान्यदभयस्थानं ततः स्वसंवेदनात् नान्यत् अभयस्य संसारदुःखत्रासाभावस्य स्थानमास्पदम्। सुखास्पदं ततो नान्यदित्यर्थः।। २९ ।। ભાવાર્થ : અનંતજ્ઞાનસ્વરૂપ પરમાત્મા તે જ “હું છું' એવી વારંવાર અભેદ ભાવના ભાવવાથી તેના સંસ્કાર દઢ થાય છે અને તેવા સંસ્કારને લીધે આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જીવ અનંત ચતુષ્ટયરૂપ પરમપદની પ્રાપ્તિ કરે છે. વિશેષ જ્યારે અંતરાત્મા સ્વસમ્મુખ થઈ પોતાને સિદ્ધ સમાન શુદ્ધ, બુદ્ધ ચૈતન્યઘન, સુખ-ધામ અને અનંત ચતુટ્યાદિરૂપ ધ્યાવે છે-વારંવાર ભાવે છે, ત્યારે અભેદ અવિચલ ભાવનાના બળે તે શુદ્ધાત્મસ્વરૂપમાં તન્મય થઈ જાય છે. તે વખતે તેને અનિર્વચનીય આનંદનો અનુભવ થાય છે. પરમાત્મસ્વરૂપમાં લીન થતાં તે સ્વયં પરમાત્મા થઈ જાય છે. આ પરમાત્મસ્વરૂપની દઢ ભાવનાનું ફલ છે. “જે પરમાત્મા છે તે જ હું છું-એવી વારંવાર ભાવના ભાવમાં શુદ્ધસ્વાત્મામાં જે લીનતા થાય છે, તે કોઈ વચન-અગોચર યોગ છે-સમાધિરૂપ ધ્યાન છે.” * આવી રીતે પરમાત્મભાવનાના દઢ સંસ્કારથી આત્મા પરમાત્મા થઈ જાય છે. ૨૮. આત્મ-ભાવનાના વિષયમાં કષ્ટપરંપરાના સદભાવને લીધે ભયની ઉત્પત્તિની સંભાવના રહે છે, તો તેમાં કોઈની કેવી રીતે પ્રવૃત્તિ થાય? એવી આશંકાનું નિરાકરણ કરતાં કહે છે : શ્લોક ૨૯ અન્વયાર્થ : (મૂહાત્મા) અજ્ઞાની બહિરાભા (યત્ર) જેમાં શરીર-પુત્ર-મિત્રાદિ બાહ્ય પદાર્થોમાં (વિશ્વસ્ત: ) વિશ્વાસ કરે છે (તત:) તેનાથી-શરીરાદિ બાહ્ય પદાર્થોથી (અન્ય ) બીજું કોઈ (ભયસ્પર્વ નો ભયનું સ્થાન નથી અને (યત:) જેનાથી–પરમાત્મસ્વરૂપના અનુભવથી (ભીત:) (માસ્પર્વ ની ભયનું સ્થાન નથી અને (યત:) જેનાથી-પરમાત્મસ્વરૂપના અનુભવથી (મીત:) જુઓ: અધ્યાત્મરહસ્ય' - શ્લોક ૫૭. Please inform us of any errors on [email protected]
SR No.008301
Book TitleSamadhi Tantra
Original Sutra AuthorN/A
AuthorDevnandi Maharaj
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy