SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪]. સમાધિતંત્ર तत्स्वरूपं स्वसंवेदयतो रागादिप्रक्षयान्न क्वविच्छत्रुमित्रव्यवस्था भवतीति दर्शयन्नाह क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः । बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः ।। २५।। टीका- अत्रैव न केवलमग्रे किन्तु अत्रैव जन्मनि क्षीयन्ते। के ते? रागाद्याः आदौ भव: आद्यः राग आद्यो येषां द्वेषादिनां ते तथोक्ताः। किं कुर्वन्तस्ते क्षीयन्ते ? तत्त्वतो मां प्रपश्यतः। कथम्भूतं मां ? बोधात्मानं ज्ञानस्वरूपं। तत इत्यादि-यतो यथावदात्मानं पश्यतो रागादयः प्रक्षीणास्ततस्तस्मात् कारणात् न मे कश्चिच्छत्रुः न च नैव प्रियो मित्रम्।।२५।। પોતાના ઉક્ત પ્રકારના સ્વરૂપનું યથાવત્ ભાન થયું ત્યારે તે વાસ્તવમાં જાગૃત થયો અર્થાત તેના પરિજ્ઞાનરૂપે પરિણમ્યો. જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ છે તે જ જાગે છે અને જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ નથી તે ઊંઘ છે. જ્યારથી તે ચિદાનંદ-સ્વરૂપને સ્વસંવેદન દ્વારા અનુભવે છે, ત્યારથી તે સદાય જાગૃત જ છે એમ સમજવું. ૨૪ તે સ્વરૂપનું સ્વસંવેદન કરનારને રાગાદિનો વિશેષ ક્ષય થવાથી કવચિત્ પણ શત્રુમિત્રની વ્યવસ્થા (કલ્પના) રહેતી નથી તે દર્શાવતાં કહે છે: શ્લોક ૨૫ અન્વયાર્થ : (યત:) કારણ કે (વોધાત્માનં) શુદ્ધ જ્ઞાનસ્વરૂપ એવા (મ) અને-મારા આત્માને (તત્ત્વત: પ્રશ્યત:) વાસ્તવમાં અનુભવ કરનાર જીવને (મત્ર 94) અહીં જ (૨+||દ્યા:) રાગાદિ દોષો (ક્ષીયન્ત) નાશ પામે છે; (તત:) તેથી (૧) મારો (: વિદ્) ન કોઈ (શત્રુ.) શત્રુ છે ( : ) અને ન કોઈ (પ્રિય.) મિત્ર છે. ટીકા : અહીં જ નહીં કે કેવળ આગળ (બીજા જન્મમાં) જ પરંતુ આ જ જન્મમાં (તેઓ) ક્ષય પામે છે. કોણ છે? રાગાદિ–અર્થાત્ રાગ જેની આદિમાં છે તેવા દ્વષાદિ (દોષો). શું કરતાં તે ક્ષીણ થાય છે? તત્ત્વતઃ (પરમાર્થપણે મને દેખતાં (અનુભવતાં). કેવા મને? બોધાત્મા એટલે જ્ઞાનસ્વરૂપ (એવા મને). યથાવત્ આત્માનો અનુભવ કરતાં રાગાદિ ક્ષીણ થાય છે; તે કારણથી ન કોઈ મારો શત્રુ છે અને કોઈ મારો પ્રિય એટલે મિત્ર છે. ભાવાર્થ : જ્ઞાનસ્વરૂપ આત્માને યથાર્થસ્વરૂપે અવલોકતાં-અનુભવતાં રાગ-દ્વેષાદિ દોષોનો (ભૂમિકાનુસાર) અહીં જ અભાવ થાય છે; તેથી જ્ઞાની કહે છે કે, “આ જગતમાં મને કોઈ શત્રુ-મિત્રરૂપે ભાસતો નથી-અર્થાત વાસ્તવમાં કોઈ કોઈનો શત્રુ-મિત્ર થઈ શકતો નથી.” Please inform us of any errors on [email protected]
SR No.008301
Book TitleSamadhi Tantra
Original Sutra AuthorN/A
AuthorDevnandi Maharaj
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy