________________
[ ૨૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર इदानीमुक्तमर्थमुपसंहृत्यात्मन्यन्तरात्मनोऽनुप्रवेशं दर्शयन्नाह
मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः ।
त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ।।१५।। શરીરો વિષે. કયા કારણે? આત્મબુદ્ધિના કારણે. શામાં આત્મબુદ્ધિ ? શરીરોમાં જ. અર્થ એ છે કે -પુત્ર વગેરેના દેહને જીવરૂપે માનનારને, “મારો પુત્ર, સ્ત્રી,-એવી કલ્પનાઓ-વિકલ્પો થાય છે. અનાત્મરૂપ અને અનુપકારક એવી તે કલ્પનાઓથી પુત્ર-ભાર્યાદિરૂપ વિભૂતિના અતિશય સ્વરૂપ સંપત્તિને જગત્ પોતાની માને છે. અરે ! સ્વસ્વરૂપના પરિજ્ઞાનથી બહિર્ભત (રહિત) બહિરાત્મારૂપ જગ-પ્રાણિગણ-હણાઈ રહ્યું છે.
ભાવાર્થ : દેહમાં આત્મબુદ્ધિના કારણે આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત બહિરાત્માઓ સ્ત્રીપુત્રાદિ સંબંધોમાં મારાપણાની કલ્પનાઓ કરે છે અને તેમની સમૃદ્ધિને પોતાની સમૃદ્ધિ માને છે. આમ આ જગત્ હણાઈ રહ્યું છે-એ ખેદની વાત છે.
જ્યાં સુધી જીવને શરીરમાં આત્મબુદ્ધિ રહે છે ત્યાં સુધી તેને પોતાના નિરાકુલ નિજાનન્દરસનો સ્વાદ આવતો નથી અને પોતાની અનંત ચતુરૂપ સમ્પત્તિથી અજ્ઞાત રહે છે. તે સ્ત્રી-પુત્ર-ધન-ધાન્યાદિ બાહ્ય સમ્પત્તિઓને પોતાની માની તેના સંયોગ-વિયોગમાં હર્ષ-વિષાદ કરે છે. તેના ફલસ્વરૂપ તેનું સંસાર-પરિભ્રમણ ચાલુ રહે છે. તેથી આચાર્ય ખેદ દર્શાવતાં કહે છે કે, “હાય! આ જગત્ માર્યું ગયું! ઠગાઈ ગયું! તેને પોતાનું કાંઈ પણ ભાન રહ્યું નહિ!”
વિશેષ ....વળી કોઈ વખતે કોઈ પ્રકારે પોતાની ઇચ્છાનુસાર પરિણમતા જોઈ આ જીવ એ શરીર-પુત્રાદિકમાં અહંકાર-મમકાર કરે છે અને એ જ બુદ્ધિથી તેને ઉપજાવવાની, વધારવાની તથા રક્ષા કરવાની ચિંતાવડ નિરંતર વ્યાકુળ રહે છે, નાના પ્રકારના દુઃખ વેઠીને પણ તેમનું ભલું ઇચ્છે છે...”
“..મિથ્યાદર્શન વડે આ જીવ કોઈ વેળા બાહ્ય સામગ્રીનો સંયોગ થતાં તેને પણ પોતાની માને છે. પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, હાથી, ઘોડા, મંદિર (મકાન) અને નોકર-ચાકરાદિ જે પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન છે, સદાકાળ પોતાને આધીન નથી-એમ પોતાને જણાય તો પણ તેમાં મમકાર કરે છે, પુત્રાદિકમાં “આ છે તે હું જ છું”—એવી પણ કોઈ વેળા ભ્રમબુદ્ધિ થાય છે, મિથ્યાદર્શનથી શરીરાદિકનું સ્વરૂપ પણ અન્યથા જ ભાસે છે.....” ૧૪.
હવે કહેલા અર્થનો ઉપસાર કરીને આત્મામાં અત્તરાત્માનો અનુપ્રવેશ દર્શાવતાં કહે છે – મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ-પૃ. ૫૫. वपु गृहं धनं दाराः पुत्रा मित्राणि शत्रवः।
સર્વાચસ્વમાવાન મૂઢ: સ્વનિ પ્રદ્યાટા(ઇબ્દોપદેશ) ૩. મોક્ષમાર્ગ પ્રકાશક, ગુ. આવૃત્તિ-પૃ. ૮૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૧.
تم