________________
[૧૫૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર टीका- अदुःखेन कायक्लेशादिकष्टं विना सुकुमारोपक्रमेण भावितमेकाग्रतया चेतसि पुनः पुनः संचिन्तितं ज्ञानं शरीरादिभ्यो भेदेनात्मस्वरूपपरिज्ञानं क्षीयते अपकृष्यते। कस्मिन् ? दुःखसन्निधौ दुःखोपनिपाते सति। यत एवं तस्मात्कारणात् यथाबलं स्वशक्त्यनतिक्रमेण मुनिर्योगी आत्मानं दु:खैर्भावयेत् कायक्लेशादिकष्टे: सहाऽऽत्मस्वरूपं भावयेत्। कष्टसहोभवन्सदाऽऽत्मस्वरूपं चिन्तयेदित्यर्थः।। १०२।।
ननु यद्यात्मा शरीरात्सर्वथाभिन्नस्तदा कथमात्मनि चलति नियमेन तच्चलम् तिष्ठति नियमेन तिष्ठेदिति वदन्तं प्रत्याह
प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात् । वायोः शरीरयंत्राणि वर्तन्ते स्वेषु कर्मसु ।। १०३।।
ટીકા : દુઃખ વિના એટલે કાયકલેશાદિના કષ્ટ વિના સુકુમાર ઉપક્રમથી ભાવવામાં આવેલું અર્થાત્ એકાગ્રતાથી મનમાં વારંવાર ચિંતવેલું જ્ઞાન એટલે શરીરાદિથી ભિન્ન આત્મસ્વરૂપનું પરિજ્ઞાન ક્ષય પામે છે-ક્ષીણ થાય છે. ક્યારે ? દુઃખની સન્નિધિમાં ( ઉપસ્થિતિમાં ) -દુઃખો આવી પડતાં. તેટલા માટે યથાશક્તિ એટલે પોતાની શક્તિનું ઉલ્લંઘન કર્યા સિવાય મુનિએ યોગીએ દુ:ખથી આત્માની ભાવના ભાવવી અર્થાત્ કાયકલેશાદિરૂપ કષ્ટોથી આત્મસ્વરૂપની ભાવના કરવી-કષ્ટ સહીને સદા આત્મસ્વરૂપનું ચિંતવન કરવું-એવો અર્થ છે.
ભાવાર્થ : જેમને શરીરાદિની અનુકૂળતામાં યા સાતાશીલપણામાં જ્ઞાન-ભાવના કરવાની આદત પડી છે, તેમને ઉપસર્ગાદિ આવતાં જ્ઞાન-ભાવના અચલ રહી શક્તી નથી, કારણ કે તેઓ ભૂખ, તરસ, ગરમી, ઠંડી, વગેરેની થોડી પણ બાધા સહી શકતા નથી. તેઓ નજીવું સંકટ આવી પડતાં ગભરાઈ જાય છે અને જ્ઞાન-ભાવનાથી ચલિત થઈ જાય છે, તેથી આચાર્યદવે આ શ્લોકમાં કહ્યું છે કે જ્ઞાન-ભાવનાના અભ્યાસીને ઉચિત છે કે તે અનેક કષ્ટો સહન કરવાની એવી ટેવ પાડો કે કષ્ટો આવી પડે તો પણ તે જ્ઞાન-ભાવનાથી ચલાયમાન થાય નહિ. ૧૦૨.
જો આત્મા શરીરથી સર્વથા ભિન્ન હોય તો તેના ચાલવાથી શરીર નિયમથી કેમ ચાલે અને તેના ઊભા રહેવાથી તે (શરીર) નિયમથી કેમ ઊભું રહે છે? એમ શંકા કરનાર પ્રતિ કહે છે :
શ્લોક ૧૦૩ અન્વયાર્થ : (છાષપ્રવર્તિતા) ઈચ્છા (રાગ)-દ્વેષની પ્રવૃત્તિથી થતાં (માત્મ: પ્રયત્નાત્ ) આત્માના પ્રયત્નના નિમિત્તે (વાયુ:) વાયુ ઉત્પન્ન થાય છે-વાયુનો સંચાર થાય છે. (વાયો:)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com