SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮] સમાધિતંત્ર निष्पन्नेतरयोग्यपेक्षया अयत्नेत्यादिवचनम्। तत्र निष्पन्नयोग्यपेक्षया चित्तत्त्वं भूतजं स्वभावजं। भूतशब्दोऽत्र स्वभाववाची। मनोवाक्कायेन्द्रियैरविक्षिप्तमात्मस्वरूपं भूतं तस्मिन् जातं तत्स्वरूपसंवेदकत्वेन लब्धात्मलाभं एवंविधं चित्तत्त्वं यदि तदाऽयत्नसाध्यं निर्वाणं तथाविद्यमात्मस्वरूपमनुभवत: कर्मबंधाभावतो निर्वाणस्याप्रयाससिद्धत्वात् अथवा अन्यथा प्रारब्धयोग्यपेक्षया भूतजं चित्तत्त्वं न भवति। तदा योगतः स्वरूपसंवेदनात्मकचित्तवृत्तिनिरोधाभ्यासप्रकर्षान्निर्वाणं। यत एवं तस्मात्क्वचिदप्यवस्थाविशेषे दुर्धरानुष्ठाने छेदनभेदनादौ वा योगिनां दुःखं न भवति। आनन्दात्मकस्वरूपसंवित्तौ तेषां तत्प्रभवदुःखસંવેદનાસવાન્ાા ૨૦૦ ના માનવામાં આવે, તો શરીરના નાશને જ મોક્ષ માનવાનો પ્રસંગ આવે અને તેથી મોક્ષ અયત્નસાધ્ય રહે નિર્વાણ માટે અન્ય કોઈ પુરુષાર્થની જરૂર રહે નહિ. માટે શરીરનો નાશ થતાં આત્માનો અભાવ માનવો અને આત્માના અભાવને મોક્ષ માનવો-એવી ચાર્વાકોની જીવાત્મા સંબંધી કલ્પના ભ્રમમૂલક-મિથ્યા છે. “સાંખ્યમતાનુસાર” આત્મા ભૂતજ અર્થાત્ સર્વથા સ્વભાવસિદ્ધ શુદ્ધસ્વરૂપ જ છે. તેને સર્વ અવસ્થાઓમાં શુદ્ધ જ માને છે. નિર્વાણ માટે સમ્યજ્ઞાન, ધ્યાન, તપાદિરૂપ પુરુષાર્થની તેમને આવશ્યકતા નહિ જણાતી હોવાથી, તેમના મતે મોક્ષ પ્રયત્નસાધ્ય છે. માટે સાંખ્યની કલ્પના પણ યુક્તિસંગત નથી. જૈનમતાનુસાર” સ્વરૂપ-સંવેદનાત્મક ચિત્તવૃત્તિના નિરોધના દઢ અભ્યાસ દ્વારા સર્વ વિભાવ પરિણતિને હુઠાવી શુદ્ધાત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ નિર્વાણ “યત્નસાધ્ય છે. અને તેવા પ્રકારના આત્મસ્વરૂપનો અનુભવ કરનારને કર્મનો અભાવ સ્વયં થવાથી નિર્વાણની સિદ્ધિ કર્મ અપેક્ષાએ પ્રયત્ન વિના અર્થાત્ “અયત્નસાધ્ય” થાય છે, કેમ કે કર્મ પુદ્ગલ છે. તેની અવસ્થા જીવ કરી શકતો નથી; તેથી તેના અભાવ માટે જીવને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. યોગીજનોને, અતિ ઉગ્ર તપ યા ધ્યાનાદિ કરતી વખતે કોઈ પણ પ્રકારનો ખેદ કે દુ:ખ થતું નથી, પરંતુ પોતાના લક્ષ્યની સિદ્ધિ થતી જોઈ તપ-ધ્યાનાદિ કરવામાં આનંદ માને છે. તેઓ શરીરને આત્માથી ભિન્ન સમજે છે, તેથી શરીર કૃશ થતાં તેઓ ખેદ ખિન્ન થતા નથી તથા ઉપસર્ગ સમયે પોતાના સામ્યભાવની સ્થિરતાને છોડતા નથી. જેમ સુવર્ણ, અગ્નિથી તપાવા છતાં તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયે તત હોવા છતાં તે પોતાના જ્ઞાનીપણાને છોડતો નથી ૧OO. મરણરૂપ વિનાશથી ઉત્તરકાલમાં (વિનાશ પછી) આત્માનો અભાવ સિદ્ધ હોય તો તેનું જ્યમ અગ્નિતત સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહિ તજે. ત્યમ કર્મ - ઉદયે તસ પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. (૧૮૪) (શ્રી સમયસાર ગુ. ગાથા-૧૮૪) Please inform us of any errors on [email protected]
SR No.008301
Book TitleSamadhi Tantra
Original Sutra AuthorN/A
AuthorDevnandi Maharaj
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy