________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮]
સમાધિતંત્ર स्वविषये निद्रया प्रतिबन्धात्तव्यपदेशो न पुनरात्मदर्शनप्रतिबन्धादिति। तर्हि कस्याऽसौ विभ्रमो भवति ? अक्षीणदोषस्य बहिरात्मनः। कथम्भूतस्य ? सर्वावस्थात्मदर्शिनः सर्वावस्थां बालकुमारादिलक्षणां सुप्तोन्मत्तादिरूपां चात्मेति पश्यत्येवं शीलस्य।। ९३।।
ननु सर्वावस्थात्मदर्शिनोऽप्यशेषशास्त्रपरिज्ञानान्निद्रारहितस्य मुक्तिर्भविष्यतीति वदन्तं प्रत्याह
विदिताशेषशास्त्रोऽपि न जाग्रदपि मुच्यते । देहात्मदृष्टिIतात्मा सुप्तोन्मत्तोऽपि मुच्यते ।। ९४ ।।
અર્થ : આત્મદર્શી પુરુષોની નિદ્રાવસ્થા અને ઉન્મત્તાવસ્થા પણ વિભ્રમરૂપ હોતી નથી અને સર્વ અવસ્થાઓમાં આત્મા માનનારની (બહિરાત્માની)–જેના મિથ્યાત્વાદિ દોષો ક્ષીણ થયા નથી તેવાની-તે (નિદ્રાવસ્થા અને જાગ્રતાવસ્થાદિ સર્વ અવસ્થાઓ ) વિભ્રમરૂપ છે.
જે આત્મદર્શી અન્તરાત્મા છે તેને સુમાદિ અવસ્થા વિભ્રમ નથી, તો જાગ્રતાદિ અવસ્થાઓ તો વિભ્રમરૂપ કેમ જ હોય? ન જ હોય, કારણ કે આત્મસ્વરૂપના દઢતર અભ્યાસના કારણે તેનું જ્ઞાન તે અવસ્થાઓમાં આત્મસ્વરૂપથી શ્રુત થતું નથી. ઇન્દ્રિયોની શિથિલતા અને રોગાદિવસ કદાચિત્ તેને ઉન્મત્તતા પણ આવી જાય, તો પણ તેના આત્માનુભવરૂપ સંસ્કાર છૂટતા નથીબરાબર કાયમ જ રહે છે; પરંતુ અજ્ઞાની બહિરાત્માને બાલ, કુમારાદિરૂપ તથા સુર-ઉન્મત્તાદિરૂપ સર્વ અવસ્થાઓમાં દેહાધ્યાસ-આત્મબુદ્ધિ હોવાથી તેની બધી ક્રિયાઓ વિભ્રમરૂપ-મિથ્યા છે.
અંતરાત્માને નિરંતર જ્ઞાનચેતનાનું પરિણમન હોવાથી બધી અવસ્થાઓમાં-સુત કે જાગ્રત, ઉન્મત્ત કે અનુન્મત્ત અવસ્થામાં તેની ક્રિયાઓ વિભ્રમરૂપ હોતી નથી, પરંતુ બહિરાત્માને સર્વ અવસ્થાઓમાં નિરંતર અજ્ઞાન ચેતનાનું પરિણમન હોવાથી તેની બધી ક્રિયાઓ વિભ્રમરૂપ-મિથ્યા હોય છે.
આ રીતે બહિરાત્મા અને અંતરાત્માની અવસ્થામાં મોટો ફેર છે. અંતરાત્મા આત્મસ્વરૂપમાં સદા જાગૃત રહે છે અને બહિરાત્માની એનાથી વિપરીત દશા હોય છે. ૯૩.
સર્વ અવસ્થાઓમાં આત્મા માનનારની પણ, અશેષ (સંપૂર્ણ) શાસ્ત્રોના પરિજ્ઞાનને લીધે નિદ્રારહિત (જાગૃત) થએલાની મુક્તિ થશે? એવું બોલનાર પ્રતિ કહે છે :
શ્લોક ૯૪ અન્વયાર્થ: (વેત્મદfઈ ) શરીરમાં આત્મબુદ્ધિ રાખનાર બહિરાત્મા (વિવિતા શેષશાસ્ત્ર: fu) સંપૂર્ણ શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં તથા (નાત્ ) જાગતો હોવા છતાં (ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com