SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ ] સમાધિતંત્ર बहिरन्तरात्मनोः काऽवस्था भ्रान्तिः का वाऽभ्रान्तिरित्याह सुप्तोन्मत्ताद्यवस्थैव विभ्रमोऽनात्मदर्शिनाम् । विभ्रमोऽक्षीणदोषस्य सर्वावस्थाऽऽत्मदर्शिनः ।। ९३।। टीका- सुप्तोन्मत्ताद्यवस्थैव विभ्रमः प्रतिभासते। केषाम् ? अनात्मदर्शिनां (3) અંધ પુરુષમાં (૧ યોન) યોજતો નથી-આરોપતો નથી (તથા) તેમ (દEાત્મા) આત્માને શરીરાદિથી ભિન્ન અનુભવનાર અન્તરાત્મા (યત્મિન: દછિં) આત્માની દૃષ્ટિને–તેના જ્ઞાન-દર્શન સ્વભાવને-(વેદે) દેહમાં (૧ યોનયે ) આરોપતો નથી–અર્થાત્ દેહ સાથે એકરૂપ કરતો નથી. ટીકા : ભેદ જાણનાર અર્થાત્ લંગડા અને અંધનો ભેદ (તફાવત) જાણનાર પુરુષ, જેમ લંગડાની દષ્ટિને અંધમાં યોજતો (આરોપતો) નથી, તેમ તે આત્માની દષ્ટિને દેહમાં આરોપતો નથી. કોણ છે? દષ્ટાત્મા-અર્થાત જેણે દેહથી ભેદ કરીને આત્મા જાણ્યો છે તે (અંતરાત્મા). ભાવાર્થ : જે આંધળા અને લંગડાનો ભેદ બરાબર જાણે છે, તે બંનેના સંયોગના કારણે ભ્રમમાં પડી લંગડાની દષ્ટિને આંધળામાં આરોપતો નથી-અર્થાત્ આંધળાને દૃષ્ટિહીન અને લંગડાને દષ્ટિવાન સમજે છે; તેવી રીતે ભેદજ્ઞાની અન્તરાત્મા, આત્મા અને શરીરના સંયોગસંબંધથી ભ્રમમાં પડી કદી પણ શરીરમાં આત્માની કલ્પના કરતો નથી, અર્થાત્ તે શરીરને ચેતનારહિત જડ અને આત્માને જ્ઞાન-દર્શનસ્વરૂપ જ સમજે છે. વિશેષ આત્મા અને શરીરનો એકક્ષેત્રાવગાહ સંબંધ હોવા છતાં ઉપયોગરૂપ લક્ષણથી આત્મા પરખાય છે; જેમ સોના-રૂપાનો એકપણારૂપ સંબંધ હોવા છતાં, તેમના વર્ણાદિ દ્વારા તે બંને ભિન્ન ભિન્ન પારખી શકાય છે તેમ." અન્તરાત્માને શરીર અને આત્માનાં લક્ષણોનું બરાબર જ્ઞાન છે, તેથી તે બંનેને એકરૂપ અથવા એકને બીજારૂપ માનતો નથી. ૯૨. બહિરાભા અને અત્તરાત્માની અવસ્થા ભ્રાન્તિરૂપ છે અને કઈ અભ્રાન્તિરૂપ છે તે કહે છે: શ્લોક ૯૩ અન્વયાર્થ : (નાત્મવર્શિનાર્ ) જેમને આત્મસ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન નથી તેવા બહિરાત્માઓને, (સુણોન્મત્તાવિ અવરથા વ) સુપ્ત અવસ્થા અને ઉન્મત્તાદિ અવસ્થા જ સર્વાર્થસિદ્ધિ-અ. ર/સૂત્ર ૮ ની સં. ટીકા. ... તેન વન્ધ પ્રત્યેવત્વે સત્યથાત્મા નક્યો सुवर्णरजतयो बन्धं प्रत्येकत्वे सत्यपि वर्णादिर्भेदवत।। Please inform us of any errors on [email protected] ૧.
SR No.008301
Book TitleSamadhi Tantra
Original Sutra AuthorN/A
AuthorDevnandi Maharaj
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy