SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬] સમાધિતંત્ર यावच्च शरीरादावात्मबुद्ध्या प्रवृत्तिस्तावत्संसारः तदभावान्मुक्तिरिति दर्शयन्नाह स्वबुद्धया यावद्गृह्णीयात् कायवाक्चेतसां त्रयम् । સંસારસ્તાવલેતેષાં ભેગાસે તુ નિવૃત્તિ: || દુરા टीका- स्वबुद्धया आत्मबुद्धया यावद् गृह्णीयात्। किं ? त्रयम्। केषाम् ? कायवाक्चेतसां सम्बन्धमिति पाठः। तत्र कायवाक्चेतसां त्रयं વિશેષ અજ્ઞાનીઓ માને છે કે શરીરાશ્રિત ઉપવાસ, વ્રત, નિયમાદિથી શરીરને કૂશ કરતાં ઇન્દ્રિયોનો નિગ્રહ થાય છે, વિષયોમાં તેમની પ્રવૃત્તિ અટકી જાય છે અને તેથી રાગ-દ્વેષાદિ થતાં નથી; પણ આ માન્યતા ભૂલ ભરેલી છે, કારણ કે શરીરાશ્રિત ઉપવાસ કરવા, પંચાગ્નિ તપ કરવું, મૌન રાખવું, તાટક કરવું, અનેક યોગ-આસનો કરવાં, વગેરે પૌલિક જડ ક્રિયાઓ છે. તેનો સંબંધ શરીર સાથે છે, આત્મા સાથે નથી. શરીર જડ છે. તેને સુખ-દુ:ખ હોતું નથી. અજ્ઞાનીને શરીર સાથે એકતાબુદ્ધિ છે, તેથી તે શરીરની જે અવસ્થાઓ થાય છે તે પોતાની (આત્માની) થઈ માને છે, એ તેનો ભ્રમ છે. વળી અજ્ઞાની મોહવશાત વસ્ત્ર-આભૂષણાદિ દ્વારા શરીર ઉપર અનુગ્રહ (ઉપકાર) કરવાની બુદ્ધિ કરે છે, કારણ કે તેને દેહાધ્યાસ છે-શરીરમાં તેને આત્મબુદ્ધિ છે, એટલે તેના પ્રત્યે રાગના કારણે તેવો અનુગ્રહુ કરવા ઇચ્છે છે, પરંતુ આ પણ તેનો ભ્રમ છે. માટે શરીર વિષે નિગ્રહ-અનુગ્રહબુદ્ધિ કરવી તે અજ્ઞાનતા છે. ૬૧. જ્યાં સુધી શરીરાદિમાં આત્મબુદ્ધિથી પ્રવૃત્તિ છે, ત્યાં સુધી સંસાર છે. તેના અભાવે મુક્તિ છે. તે દર્શાવતાં કહે છે : શ્લોક ૬ર અન્વયાર્થ: (વાવ) જ્યાં સુધી (યવાવેતસ ત્રાં) શરીર, વચન અને મન-એ ત્રણને જીવ (સ્વયુદ્ધયા) આત્મબુદ્ધિથી (શૂળીયા) ગ્રહણ કરે, (તાવ) ત્યાં સુધી (સંસાર: ) સંસાર છે, (તુ) પરંતુ (તેષાં) એ મન-વચન-કાયનો (મેવાખ્યાને) આત્માથી ભિન્નરૂપ અભ્યાસ થતાં (નિવૃત્તિ) મુક્તિ થાય છે. ટીકા : સ્વબુદ્ધિથી એટલે આત્મબુદ્ધિથી જ્યાં સુધી ગ્રહણ કરે, શું (ગ્રહણ કરે)? ત્રયને (ત્રણને). કોના (ત્રયને)? કાય, વાણી અને મનના ત્રયને–અર્થાત્ જ્યાં સુધી આત્મા વિષે ૧. જુઓ: “શરીરાશ્રિત ઉપવાસાદિ માટે “મોક્ષમાર્ગ પ્રકાશક” ગુ. આવૃત્તિ પૃ. ૨૨૯ અને ૨૪૪. (“... જો દેહાશ્રિત વ્રત-સંયમને પણ પોતાનાં માને (અર્થાત પોતાને તેનો કર્તા માને) તો તે મિથ્યાદૃષ્ટિ છે...”) પૃ. ૩૪૪. Please inform us of any errors on [email protected]
SR No.008301
Book TitleSamadhi Tantra
Original Sutra AuthorN/A
AuthorDevnandi Maharaj
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy