________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨]
સમાધિતંત્ર तद्भावना चेत्थं कुर्यादित्याह -
तब्रुयात्तत्परान्पृच्छेत्तदिच्छेत्तत्परो भवेत् ।
येनाऽविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ।। ५३।। टीका- तत् आत्मस्वरूपं ब्रूयात् परं प्रति प्रतिपादयेत्। तदात्मस्वरूपं परान् विदितात्मस्वरूपान् पृच्छेत्। तथा तदात्मस्वरूपं इच्छेत् परमार्थतः सन् मन्येत्। तत्परो भवेत् आत्मस्वरूपभावनादरपरो भवेत्। येनात्मस्वरूपेणेत्थं भावितेन। अविद्यामयं स्वरूपं बहिरात्मस्वरूपम् त्यक्त्वा विद्यामयं रूपं व्रजेत् ।। ५३।।
આત્મ-ભાવનાનો અભ્યાસ જ્યારે તેને પરિપક્વ થાય છે અને તે સ્વરૂપમાં સ્થિર થાય છે, ત્યારે તેને અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. હવે તેને બાહ્ય વિષયો બધા નીરસ લાગે છે તેને તે ઉપરથી રુચિ ઊઠી જાય છે અને આત્મસ્વરૂપમાં જ વિહરવું ગમે છે.
માટે શ્રી અમૃતચંદ્રાચાર્ય પણ જિજ્ઞાસુ જીવને ઉદ્દેશીને કહે છે :
હે ભાઈ ! તું કોઈપણ રીતે મહા કષ્ટ અથવા મરીને પણ તત્ત્વોનો કૌતૂહલી થા અને શરીરાદિક મૂર્ત દ્રવ્યોનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ, તેમનાથી ભિન્ન એવા તારા આત્માનો અનુભવ કર; તારા આત્માના ચૈતન્ય-વિલાસને દેખતાં જ આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલ દ્રવ્યો સાથે એકપણાનો તારો મોહ છૂટી જશે." પર. તે ભાવના આ રીતે કરવી–તે કહે છે :
શ્લોક પ૩ અન્વયાર્થ : (તત્વ ઘૂયાત્ ) તે એટલે આત્મસ્વરૂપની વાત કરવી, (તન્ત પરીન પૃચ્છ) તે સંબંધી આત્માનુભવી પુરુષોને પૂછવું, (તત્ રૂછે ) તેની ઇચ્છા કરવી–તેની પ્રાપ્તિને પોતાનું ઇષ્ટ બનાવવું અને (તત્પર: ભવેત્ ) તેમાં એટલે આત્મસ્વરૂપની ભાવનામાં તત્પર-સાવધાન રહેવું, (પેન) જેથી (વિદ્યામાં રુપ) અજ્ઞાનમય બહિરાત્મરૂપનો (વસ્વી) ત્યાગ કરીને (વિદ્યામાં વ્રનેત્ ) જ્ઞાનમયરૂપની એટલે પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાય.
ટીકા : તે આત્મસ્વરૂપ કહેવું એટલે બીજાને સમજાવવું; બીજાઓને એટલે જેમણે આત્મસ્વરૂપ જાણ્યું હોય તેમને તે આત્મસ્વરૂપ પૂછવું તથા તે આત્મસ્વરૂપની ઇચ્છા કરવી અર્થાત્ પરમાર્થ સ્વરૂપે તેને માનવું, તેમાં તત્પર રહેવું અર્થાત્ આત્મસ્વરૂપની ભાવનાનો આદર કરવો; જેથી, એટલે આવી રીતે આત્મસ્વરૂપની ભાવના કરવાથી, અવિઘામય સ્વરૂપનો એટલે બહિરાત્મસ્વરૂપનો ત્યાગ કરીને વિધામય રૂપ એટલે કે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરાય. ૧. જુઓ : શ્રી સમયસાર - કલશ ૨૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com