________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદनागदत्तः श्रेष्ठी सर्वदा मायायुक्तत्वान्मृत्वा निजप्राङ्गणवाप्यां भेको जातः। तत्र चागतामेकदा भवदत्ताश्रेष्ठिनीमालोक्य जातिस्मरो भूत्वा तस्याः समीपे आगत्य उपर्युत्प्लुत्य चटितः। तया च पुनः पुनर्निर्घाटितो रटति, पुनरागत्य चटति च। ततस्तया कोऽप्ययं मदीयो इष्टो भविष्यतीति सम्प्रधार्यावधिज्ञानी सुव्रतमुनिः पृष्टः। तेन च तद्वत्तान्ते कथिते गृहे नीत्वा परमगौरवेणासौ धृतः। श्रेणिकमहाराजश्चैकदा वर्धमानस्वामीनं वैभारपर्वते समागतमाकर्ण्य आनन्दभेरी दापयित्वा महता विभवेन तं वन्दितुं गतः। श्रेष्ठिन्यादौ च गृहजने वन्दनाभक्त्यर्थं गते स भेक: प्रांगणवापीकमलं पूजानिमित्तं गृहीत्वा गच्छन् हस्तिनः पादेन चूर्णयित्वा मृतः। पूजानुरागवशेनोपार्जितपुण्यप्रभावात् सौधर्मे महर्द्धिकदेवो जातः। अवधिज्ञानेन पूर्वभववृत्तान्तं ज्ञात्वा निजमुकुटाग्रे भेकचिह्नं कृत्वा समागत्य वर्धमानस्वामीनं वन्दमान: श्रेणिकेन दृष्टः। ततस्तेन गौतमस्वामी भेकचिह्वेऽस्य किं कारणमिति पृष्टः तेन च
હતાં તે નાગદત્ત શેઠ સર્વદા માયાચારી હોવાથી મરીને પોતાના આંગણાની વાવમાં દેડકો થયો. ત્યાં એક દિવસ ભવદત્તા શેઠાણીને આવેલી જોઈને તેને જાતિસ્મરણ થયું અને તેની સમીપે આવીને-કૂદીને તેના ઉપર પડ્યો. તે (શેઠાણી) તેને વારંવાર પાછો હઠાવતી અને તે ટર-ટર શબ્દ કરતો ફરીથી આવીને તેને ચાટતો હતો. પછી આ કોઈ મારો પ્રિય હશે એમ ધારીને તેણે અવધિજ્ઞાની સુવ્રતમુનિને પૂછયું.
જ્યારે તેણે તેનું વૃત્તાન્ત કહ્યું ત્યારે તેને ઘેર લઈ જઈને પરમ ગૌરવથી (માનથી) રાખવામાં આવ્યો.
એક દિવસ શ્રેણિક મહારાજ, વર્ધમાનસ્વામીને વૈભાર પર્વત પર આવેલા સાંભળીને આનંદભેરી વગડાવી મહાવૈભવથી (ઠાઠમાઠથી) તેમને વંદના કરવા ગયા. શેઠાણી આદિ ઘરનાં માણસો જ્યારે વંદના-ભક્તિ માટે ગયાં ત્યારે તે દેડકો આંગણાની વાવમાંનું કમળ પૂજાનિમિત્તે ગ્રહણ કરીને (વંદના માટે) જતાં, હાથીના પગ તળે ચગદાઈને મરી ગયો. પૂજાના અનુરાગના કારણે ઉપાર્જિત પુણ્યના પ્રભાવથી તે સૌધર્મ સ્વર્ગમાં મહાઋદ્ધિધારી દેવ થયો.
અવધિજ્ઞાનથી પૂર્વભવનું વૃત્તાન્ત જાણીને પોતાના મુગટના અગ્રભાગમાં દેડકાનું ચિહ્ન કરીને આવ્યો અને શ્રેણિકે તેને વર્ધમાનસ્વામીને વંદના કરતો જોયો. પછી તેણે (શ્રેણિક ) તેને દેડકાનું ચિહ્ન કેમ છે તેનું કારણ ગૌતમસ્વામીને પૂછયું અને તેમણે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com