SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬ર રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદअनपेक्षितोपचारोपक्रियं उपचार: प्रतिदानं उपक्रिया मंत्रतंत्रादिना प्रत्युपकरणं ते न अपेक्षिते येन। कथं तद्दानं ? विभवेन विधिद्रव्यादिसम्पदा।।१११।। न केवलं दानमेव वैयावृत्यमुच्यतेऽपि तु પેક્ષિતોષવાર ચિમ્ ૩પવાર' એટલે પ્રતિદાન (બદલામાં કોઈ વસ્તુનું દાન દેવું) અને ઉપયિા એટલે મંત્ર-તંત્રાદિ દ્વારા પ્રત્યુપકાર કરવો-તે બંનેની જેમાં અપેક્ષા નથી તેવું દાન (અર્થાત્ પ્રતિદાન અને પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના દાન દેવું). કઈ રીતે તે દાન (દેવું ) ? “વિમવન' વિધિ અને દ્રવ્યાદિની સમ્પદાપૂર્વક. ભાવાર્થ :- સમ્યગ્દર્શનાદિ ગુણો સહિત ગૃહત્યાગી મુનિને, સ્વ-પરના ધર્મની વૃદ્ધિ માટે કોઈ બદલાની (પ્રતિદાનની ) તથા મંત્ર-તંત્રાદિ દ્વારા પ્રત્યુપકારની આશા રાખ્યા વિના પોતાની શક્તિ અનુસાર વિધિપૂર્વક ચાર પ્રકારનું દાન આપવું તેને વૈયાવૃત્ય શિક્ષાવ્રત કહે છે. તેને અતિથિસંવિભાગ વ્રત પણ કહે છે. મોક્ષ માટે ઉદ્યમી, સંયમી અને અંતરંગ-બહિરંગમાં જે શુદ્ધ હોય છે તેવા વતી પુરુષોને અતિથિ પુરુષો કહે છે. તેમને શુદ્ધ મનથી આહાર, ઔષધિ, ઉપકરણ અને વસ્તિકાનું (વિશ્રાન્તિસ્થાનનું) દાન કરવું તે અતિથિસંવિભાગ છે. શ્રી ઉમાસ્વામીએ તત્ત્વાર્થસૂત્રમાં દાનનું લક્ષણ નીચે પ્રમાણે આપ્યું છેઅનુપ્રણાર્થે સ્થાતિ વાનમા અધ્યાય ૭૩૮ પોતાના અને પરના ઉપકાર માટે ધનાદિકનો વા સ્વાર્થનો ત્યાગ કરવો તે દાન છે. દાનથી પુણ્યબંધ થાય તે તો પોતાનો ઉપકાર છે અને જો તેનાથી પાત્રના સમ્યકત્વાદિ ગુણોની વૃદ્ધિ થાય તો તે પરનો ઉપકાર છે. ૧૧૧. કેવલ દાન જ વૈયાવૃત્ય કહેવાય છે. એટલું જ નહિ પણ સંયમી જનોની સેવા પણ વૈયાવૃત્ય કહેવાય છે એમ કહે છે ૧. પોતાના માટે તૈયાર કરેલા ભોજનમાંથી યા પોતાને માટે રાખેલી વસ્તુઓમાંથી, અતિથિને (ત્યાગી જનને) માટે સંવિભાગ અર્થાત્ ઉચિત આહારાદિનો ભાગ-હિસ્સો આપવો તે અતિથિસંવિભાગ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy