SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૦ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદकरणस्यात्मपरिधानाद्यर्थस्य च ग्रहणं भवति। तथा अदृष्टमृष्टायां भूमौ मूत्रपुरीषादेरुत्सर्गो भवति। तथा अदृष्टमृष्टे प्रदेशे आस्तरणं संस्तरोपक्रमो भवतीत्येतानि त्रीणि। अनादरास्मरणे च द्वे। तथा आवश्यकादौ हि बुभुक्षापीडितत्वादनादरोऽनैकाग्रतालक्षणमस्मरणं च भवति।।११०।। પીડાતા માણસને અહંન્તાદિની પૂજાનાં ઉપકરણો (સાધનો) તથા પોતાને પહેરવાનાં કપડાં આદિ વસ્તુઓનું દેખ્યા વિના અને સાફ કર્યા વિના ગ્રહણ હોય છે. અદષ્ટપૃષ્ટવિસર્ગ અતિચારમાં ભૂખથી પીડાતા માણસને દેખ્યા વિનાની અને સાફ કર્યા વિનાની ભૂમિ ઉપર મળ મૂત્રાદિનો ત્યાગ હોય છે અને અદષ્ટપૃષ્ટઆસ્તરણ અતિચારમાં ભૂખથી પીડાતા માણસને દેખ્યા વિનાના તથા સાફ કર્યા વિનાના સ્થાનમાં બિસ્તરો પાથરવાનો હોય છેએવા ત્રણ (અતિચારો હોય છે.) શના સ્મરણે' અનાદર અને અસ્મરણ (વિસ્મરણ) –એ બે (અતિચારો) સુધાની પીડાના કારણે (તેને) આવશ્યકાદિ કાર્યોમાં (અવશ્ય કરવા યોગ્ય ધાર્મિક ક્રિયાઓમાં) અનાદર (અનુત્સાહ) –ઉપેક્ષાભાવ હોય છે અને એકાગ્રતા ન હોવારૂપ વિસ્મરણ હોય છે. ભાવાર્થ - પ્રોપધોપવાસ શિક્ષાવ્રતના પાંચ અતિચાર'૧. અદષ્ટપૃષ્ટગ્રહણ- (અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત આદાન) –જોયા વિના અને સાફ કર્યા વિના અરહંતાદિની પૂજાનાં ઉપકરણો ગ્રહણ કરવાં વા વસ્ત્ર-પાત્રાદિને જોયા વિનાયત્સાચાર વિના ઘસેડીને લેવાં. ૨. અદષ્ટપૃષ્ટવિસર્ગ- (અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ) –જમીન ઉપર જીવ જંતુઓ છે કે નહિ તે નેત્રો વડે જોયા વગર તથા કોમલ ઉપકરણથી (પીંછી આદિથી) ભૂમિનું સંમાર્જન (સાફ ) કર્યા વગર મળમૂત્રાદિનો ત્યાગ કરવો. અદષ્ટપૃષ્ટઆસ્તરણ- (અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત સંસ્તરોપક્રમણ ) –જોયા વિનાની અને સાફ કર્યા વિનાની જમીન ઉપર શયન કે આસન માટે બિસ્તરો યા વસ્ત્ર પાથરવું. ૪. અનાદર-સુધા-તૃષાની પીડાથી આવશ્યક ધાર્મિક ક્રિયાઓમાં અનાદર યા નિરુત્સાહથી પ્રવર્તવું. १. अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादानसंस्तरोपक्रमणानादरस्मृत्यनुपस्थानानि।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy