SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદएवं देशावकाशिकरूपं शिक्षाव्रतं व्याख्यायेदानीं सामायिकरूपं तद्व्याख्यातुसाह आसमयमुक्ति मुक्तं पञ्चाधानामशेषभावेन। सर्वत्र च सामायिका: सामायिकं नाम शंसन्ति।। ९७।। ૧. પ્રેષણ- “આ કરો” એમ કહીને કોઈને મર્યાદાની બહાર મોકલવો. ૨. શબ્દ-મર્યાદાની બહાર કામ કરતા નોકર વગેરેને તાલી, ખાંસી આદિનો શબ્દ કરી ઇશારો કરવો. ૩. આનયન- “આ લાવો' –એમ કહી મર્યાદાની બહારથી કોઈ વસ્તુ મંગાવવી. ૪. રૂપાભિવ્યક્તિ-મર્યાદાની બહાર કામ કરતા માણસોને પોતાનું શરીર આદિ બતાવી સૂચના કરવી. પ. પુદ્ગલપ-મર્યાદાની બહાર કામ કરતા માણસોને ઇશારો કરવા માટે કંકર, પત્થર આદિ ફંકવા. પોતે મર્યાદાની અંદર ઊભો રહે પરંતુ મર્યાદા બહાર કામ કરતા માણસો પ્રતિ આવા ઇશારા કરે તે યા તેમની સાથે આવી રીતે સંબંધ રાખે તે અતિચાર છે, અર્થાત્ વ્રતનો એકદેશ ભંગ છે. એ પ્રમાણે દેશાવકાશિતરૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરીને હવે સામાયિકરૂપ શિક્ષાવ્રતનું વ્યાખ્યાન કરવાને કહે છે સામાયિક શિક્ષાવ્રતનું લક્ષણ શ્લોક ૯૭ અન્વયાર્થ - [સામાયિT] આગમના જાણનાર-ગણધરદેવાદિ [ગશેષમાવેત] સર્વ ભાવથી (અર્થાત્ મન-વચન-કાય અને કૃત-કારિત-અનુમોદનાથી) [સર્વત્ર] સર્વત્ર ( અર્થાત મર્યાદાની બહાર અને અંદર) [લાસમયમુ]િ સામાયિક માટે નિશ્ચિત કરેલા સમય સુધી (અર્થાત્ સામાયિક માટે કરેલી પ્રતિજ્ઞાનો સમય પૂર્ણ થાય ત્યાં ૧. દેશવ્રતના અતિચાર-નયનપ્રેગ્યપ્રયોગશબ્દાનુપાતપુ નક્ષેપ.. ( તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭/૩૧,) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy