________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદविषयविषतोऽनुपेक्षानुस्मृतिरतिलौल्यमतितृषाऽनुभवो।
भोगोपभोगपरिमाव्यतिक्रमाः पञ्च कथ्यन्ते।।९०।। भोगोपभोगपरिमाणं तस्य व्यतिक्रमा अतीचारा: पंच कथ्यन्ते। के ते इत्याह विषयेत्यादि - विषय एव विषं प्राणिनां दाद्वसंतापादिविधायित्वात् तेषु ततोऽनुपेक्षा उपेक्षायास्त्यागस्याभावोऽनुपेक्षा आदर इत्यर्थः। विषयवेदनाप्रतिकारार्थो हि विषयानुभवस्त-स्मात्तत्प्रतीकारे जातेऽपि पुनर्यत्संभाषणालिंगनाद्यादर: सोऽत्यासक्तिजनकत्वादतीचारः। अनुस्मृतिस्तदनुभवात्प्रतीकारे जातेऽपि पुनर्विषयाणां सौंदर्य
ભોગોપભોગપરિમાણવ્રતના અતિચાર
શ્લોક ૯૦ અવયાર્થ :- [ વિપરિપતઃ] વિષયરૂપી વિષથી [મનુપેક્ષા] ઉપેક્ષા કરવી નહિ અર્થાત્ તેનો આદર કરવો, [કનુસ્મૃતિ:] ભોગવેલા વિષયોનું વારંવાર સ્મરણ કરવું, [તિનૌજ્યમ] ભોગ ભોગવ્યા છતાં ફરી ફરીને તે ભોગવવાની લોલુપતા-તીવ્ર ઇચ્છા રાખવી, [તિતૃષા] ભવિષ્યકાળના ભોગોની પ્રાપ્તિ માટે અત્યંત ઇચ્છા રાખવી અને [ ગતિશનુમવ:] વર્તમાન વિષયની અત્યંત આસક્તિથી ભોગ ભોગવવા-એ [પશ્ચિ] પાંચ [મોનોપમોરપરિમાવ્યતિ:] ભોગપભોગપરિમાણવ્રતના અતિચાર [ વચ્ચત્તે] કહેવાય છે.
ટીકા :- ભોગોપભોગપરિમાણના પાંચ અતિચારો કહેવામાં આવે છે. તે કયા છે તે કહે છે. “વિષયેત્યાદ્રિ' જેવી રીતે વિષ પ્રાણીઓને દાહ અને સંતાપ આદિ ઉત્પન્ન કરે છે, તેવી રીતે વિષય પણ પ્રાણીઓને દાહ અને સંતાપ આદિ ઉત્પન્ન કરે છે; તેથી વિષય વિષની સમાન છે. આ વિષયરૂપ વિષમાં અથવા વિષથી ઉપેક્ષા ન હોવી–ત્યાગ ન હોવો અર્થાત્ તેમના પ્રતિ આદરભાવ બન્યો રહેવો તે અનુપેક્ષા નામનો અતિચાર છે. વિષયોનાં અનુભવ-ઉપભોગ વિષય-વેદનાના પ્રતિકાર માટે કરવામાં આવે છે; વિષયાનુભવથી વેદનાનો પ્રતિકાર થઈ ગયા પછી પણ ફરીફરી સંભાષણ તથા આલિંગન આદિમાં જે આદર છે તે અતિ આસક્તિજનક હોવાથી અતિચાર છે. “નૃસ્મૃતિ' વિષયના અનુભવથી વેદનાનો પ્રતિકાર થઈ ગયા પછી પણ સૌંદર્યસુખનું સાધન હોવાથી વિષયોનું વારંવાર સ્મરણ કરવું તે અનુસ્મૃતિ નામનો અતિચાર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com