SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદ ( પુષ્પમાળા વગેરે ), તામ્બુલ (પાન-સોપારી, ઇલાયચી આદિ મુખવાસની વસ્તુઓ ), વસન (વસ્ત્ર, ધોતી, ચાદર, પગરખાં, ટોપી, કોટ, ખમીસ વગેરે ), ભૂષણ ( બંગડી, બાાબંધ, કંકણ, કુંડલ, મુકુટ, હા, વીંટી વગેરે ), મન્મથ ( સ્ત્રીભોગ), સંગીત ( નૃત્ય, વાઘ, ગાયન સહિત રાગોનું સાંભળવું, નાટકાદિનું જોવું), ગીત (સ્ત્રીઓનાં ગીત-વસંત રાગ વગેરે) –એ ભોજનાદિ બાર ભોગ-ઉપભોગની વસ્તુઓનો ઘડી, પ્રહર, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ઋતુ (બે માસ) અને અયન (છ માસ ), આદિ કાલની મર્યાદાપૂર્વક ત્યાગ કરવો તે નિયમ છે. વિશેષ અયોગ્ય ( અભક્ષ્ય ) ભોગોપભોગની ચીજોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને યોગ્ય (ભક્ષ્ય ) ભોગોપભોગની વસ્તુઓનું પ્રમાણ કરવું જોઈએ. તેના માટે નીચેના ૧૭ નિયમો નિત્ય કરવા જોઈએ भोजने षट्रसे पाने कुंकुमादि विलेपने । पुष्प ताम्बूल गीतेषु नृतादौ ब्रह्मचर्यके ।। स्नान भूषण वस्त्रादौ वाहने शयनासने । सचित्तवस्तु संख्यादौ प्रमाणं भज प्रत्यहम्।। ૧. આજે અમુક વાર ભોજન કરીશ. ૨. છ રસો–દૂધ, ધી, દહીં, સાકર-ગોળ, મીઠું, તેલમાંથી અમુક રસનો ત્યાગ કરીશ. ૩. શરબત, ચા, જલપાન અમુક વાર કરીશ. ૪.ચંદન, કેશર, તેલ યા કુંકુમાદિનું વિલેપન અમુક વાર કરીશ. ૫. અમુક પ્રકારના પુષ્પોનો અમુક વાર ઉપયોગ કરીશ. ૬. પાન-સોપારી, ઇલાયચી આદિ સ્વાધ ચીજો અમુક વાર ખાઈશ. ૭. આજે ગીત સાંભળીશ કે નહિ. ૮. આજે નાચ દેખીશ કે નહિ. ૯. આજે બ્રહ્મચર્યનું પાલન કરીશ કે નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy