SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર ૨૨૧ प्रासुकमपि यदेवंविधं तत्त्याज्यमित्याह'यदनिष्टं तदव्रतयुद्यच्चानु पसेव्यमेतदपि जह्यात्। अभिसन्धिकृता विरतिर्विषयाद्योग्याव्रतं भवति।।८६ ।। પભોગ વ્રતધારીએ સર્વથા ત્યાગ કરવો જોઈએ. એવી વસ્તુઓનું પરિમાણ હોય નહિ પણ જીવનપર્યત તેમનો ત્યાગ જ હોય. સાધારણ વનસ્પતિ અને કંદમૂળાદિમાં અનંત નિગોદિયા જીવ રહે છે. તેમનો ભક્ષ કરવાથી બહુ સ્થાવર જીવોની હિંસા થાય છે, માટે તેમનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. જે વનસ્પતિના પાનમાં રેખા, ગાંઠો, સંધિઓ પ્રત્યક્ષ જોવામાં આવે, જેમાં તંતુઓ હોય અને જે તોડવાથી એક સરખું સમભાગે તૂટે નહિ-વાંકીચૂંકી તૂટે તે નિગોદિયા જીવરહિત પ્રત્યેક વનસ્પતિ છે. પરંતુ જેના પાનમાં રેખાઓ, ગાંઠો પ્રગટ ન હોય અને જે તોડવાથી સમભાગે તૂટે તે નિગોદિયા જીવસહિત સાધારણ વનસ્પતિ છે. પ્રત્યેક વનસ્પતિને આશ્રયે એક જ જીવ રહે છે, જ્યારે સાધારણ વનસ્પતિના આશ્રયે અનંત નિગોદિયા સ્થાવર જીવો રહે છે; માટે અનંત સ્થાવર જીવોની હિંસાથી બચવા માટે તેવી વનસ્પતિનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. (પૃથ્વી આદિ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને તિર્યંચ ગતિવાળા જ છે.) વધુ માટે જાઓ પુરુષાર્થ સિદ્ધિ-ઉપાય ગુજરાતી આવૃત્તિ શ્લોક ૧૬રનો ભાવાર્થ. ૮૫. પ્રાસુક હોવા છતાં જે આવા પ્રકારનાં (અનિષ્ટ અને અનુપસેવ્યો હોય તેમનો પણ ત્યાગ કરવો જોઈએ એમ કહે છેઅનિષ્ટ અને અનુપસેવ્ય વસ્તુઓનો ત્યાગ અને વ્રતનું સ્વરૂપ શ્લોક ૮૬ અન્વયાર્થ :- (આ ભોગોપભોગપરિમાણ વ્રતમાં) [૬] જે વસ્તુ [નિમ] અનિષ્ટ (અહિતકર) હોય [ તત] તે [ગ્રતયેત] છોડવી જોઈએ. [૨] અને [ ] જે [ અનુપસેવ્યત્] (સારા માણસોને) સેવન કરવા યોગ્ય ન હોય [પત૬ 9િ] તે પણ [ નહ્યા ] છોડવું જોઈએ, કારણ કે [ યોગ્યાત] યોગ્ય [વિષયાત] વિષયોથી १. यानवाहनाभरणादिषु एतावदेवेष्टमतोऽन्यदनिष्टमित्यनिष्टान्निवर्तनं कर्तव्यं। २. न ह्यसति अभिसन्धि-नियमे व्रतमितीष्टानामपि चित्रवस्त्रविकृतवेशाभरणादीनामनुपसेव्यानां परित्यागः कार्यः। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy