________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૧૬૭ 'धनधान्यादिग्रन्थं' धनं गवादि, धान्यं त्रिह्यादि। आदिशब्दाद्दासीदासभार्यागृहक्षेत्रद्रव्यसुवर्णरुप्याभरणवस्त्रादिसंग्रहः। स चासौ ग्रन्थश्च तं परिमाय। स च परिमितपरिग्रहः ‘इच्छापरिमाणनाभापि' स्यात्, इच्छाया: परिमाणं यस्य स इच्छापरिमाणस्तन्नाम यस्य स तथोक्तः।। ६१।। ન તોડધિs નિસ્પૃહતા' તેનાથી-ઈચ્છા પ્રમાણે સંખ્યાથી મર્યાદિત કરેલી વસ્તુઓથી અધિક વસ્તુઓમાં ઈચ્છા રહિત થવું-વાંછા રહિત થવું તે “પતિપરિપ્રદ:' એકદેશ પરિગ્રહવિરતિરૂપ અણુવ્રત છે. ‘રૂછાપરિમાણનામ પિ' તે પરિમિત પરિગ્રહમાં પોતાની ઈચ્છાનુસાર પરિગ્રહનું પરિમાણ કરવામાં આવે છે તેથી તેનું બીજું નામ “ઇચ્છાપરિમાણ ” પણ છે.
ભાવાર્થ :- ક્ષેત્ર (ખેતર), વાસ્તુ (મકાન આદિ). હિરણ્ય (રૂપિયા-ચાંદી આદિ), સ્વર્ણ (સોનું યા સુવર્ણનાં ઘરેણાં), ધન (ગાય આદિ), ધાન્ય (અનાજ), દાસી, દાસ, કુણ્ય (વસ્ત્રાદિ) અને ભાષ્ઠ (વાસણ આદિ) –એ દશ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરીને તેનાથી અધિકમાં વાંછા (ઇચ્છા ) ન કરવી તેને પરિગ્રહપરિમાણ અણુવ્રત કહે છે. તેને ઈચ્છાપરિમાણ અણુવ્રત પણ કહે છે.
વિશેષ પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં કહ્યું છે કે
મોહના ઉદયનિમિત્તે ઉત્પન્ન થયેલ મમત્વરૂપ પરિણામ જ મૂચ્છ છે અને જે મૂચ્છ છે તે જ પરિગ્રહ છે. (શ્લોક ૧૧૧)
તત્ત્વાર્થસૂત્રમાં શ્રી ઉમાસ્વામીએ પણ મૂર્છાને જ પરિગ્રહ કહ્યો છે
“મૂચ્છ પરિપ્રદ: અધ્યાય ૭/૧૭ બાહ્ય ધન-ધાન્યાદિ પદાર્થોમાં તથા અંતરંગ ક્રોધાદિ કષાયોમાં મમત્વભાવ રાખવો તે મૂર્છા છે.”
જ્યાં જ્યાં મૂચ્છે છે ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે અને જ્યાં મૂચ્છ નથી ત્યાં પરિગ્રહ પણ નથી. મૂર્છાની પરિગ્રહ સાથે વ્યાતિ છે.
કોઈ જીવ નર છે, બાહ્ય પરિગ્રથી રહિત છે, પણ જો તેને અંતરંગમાં મૂચ્છ અર્થાત્ મમત્વપરિણામ હોય તો તે પરિગ્રહવાન જ છે; અને એક મમત્વના ત્યાગી દિગંબર મુનિને ઉપકરણરૂપ પીછી, કમંડળ હોવા છતાં પણ અંતરંગમાં મમત્વ નહિ હોવાથી તે વાસ્તવિક પરિગ્રહથી રહિત જ છે. (શ્લોક ૧૧ર નો ભાવાર્થ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com