________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર મોદિન'ર્શનમોહયુwતા રૂરૂ ના
૧૦૧
શ્રાવક ગૃહસ્થ પંચમ ગુણસ્થાનવર્તી છે અને સમ્યગ્દર્શન રહિત મુનિ મિથ્યાષ્ટિ હોવાથી પ્રથમ ગુણસ્થાનવર્તી છે. મિથ્યાદષ્ટિ મુનિથી સમ્યગ્દષ્ટિ ગુહસ્થ શ્રેષ્ઠ છે. - એ કારણથી પણ સમ્યગ્દર્શન સર્વોત્કૃષ્ટ છે.
વિશેષ શ્રી કુંદકુંદાચાર્યે દર્શનપાહુડમાં કહ્યું છે કે
જે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ છે, કારણ કે તે સંસારમાં પરિભ્રમણ કર્યા જ કરે છે, અનંતકાળે પણ નિર્વાણને પામતો નથી; પરંતુ જે સમ્યગ્દર્શન યુક્ત છે પણ ચારિત્રથી ભ્રષ્ટ થયો છે તે દેવ-મનુષ્યના થોડાક ભવ કરી નિયમથી નિર્વાણ પામે છે.
અસંયત-દેશસંયત સમ્યગ્દષ્ટિને કષાયોની પ્રવૃત્તિ તો છે, પરંતુ શ્રદ્ધાનમાં તેને કોઈ પણ કષાય કરવાનો અભિપ્રાય નથી અને દ્રવ્યલિંગીને શુભ કષાય કરવાનો અભિપ્રાય હોય છે, શ્રદ્ધાનમાં તેને ભલો જાણે છે, માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસયત સમ્યગ્દષ્ટિથી પણ તેને અધિક કષાય છે.
વળી દ્રવ્યલિંગીને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય છે અને અઘાતિ કર્મોમાં પુણ્ય-પાપ બંધનો ભેદ શુભ-અશુભ યોગોને અનુસારે છે, માટે તે અંતિમ રૈવેયક સુધી પહોંચે છે. પણ એ કાંઈ કાર્યકારી નથી, કારણ કે અઘાતિ કર્મ કાંઈ આત્મગુણનાં ઘાતક નથી. તેના ઉદયથી ઊંચા-નીચાં પદ પામે તો તેથી શું થયું? એ તો બાહ્ય સંયોગો માત્ર સંસારદશાના સ્વાંગ છે અને પોતે તો આત્માથી છે, માટે આત્મગુણનાં ઘાતક જે ઘાતિકર્મ છે તેનું હીનપણું કાર્યકારી છે. હવે ઘાતિકર્મોનો બંધ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નથી પણ અંતરંગ કષાય અનુસાર છે, તેથી જ દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયત વા દેશસયત સમ્યગ્દષ્ટિને ઘાતિકર્મોનો બંધ થોડો છે. દ્રવ્યલિંગીને તો સર્વ ઘાતિયાં કર્મોનો બંધ ઘણી સ્થિતિ-અનુભાવ સહિત હોય છે, ત્યારે અસંત-દેશસંયત સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ કર્મોનો બંધ તો છે જ નહિ, તથા બાકીની પ્રકૃતિઓનો બંધ હોય છે પણ તે અલ્પસ્થિતિ-અનુભાગ સહિત હોય છે.
દ્રવ્યલિંગીને ગુણશ્રેણિ નિર્જરા કદી પણ થતી નથી, ત્યારે સમ્યગ્દષ્ટિને કોઈ વેળા થાય છે તથા દેશ-સકળ સંયમ થતાં નિરંતર થાય છે, માટે તે મોક્ષમાર્ગી થયો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com