________________
૫૦ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
પંચાસ્તિકાયસંગ્રહ
अत्र व्यवहारकालस्य कथंचित परायत्तत्वे सदुपपत्तिरुक्ता ।
खलु
इह हि व्यवहारकाले निमिषसमयादौ अस्ति तावत् चिर इति क्षिप्र इति संप्रत्ययः। स दीर्धह्रस्वकालनिबंधनं प्रमाणमंतरेण न संभाव्यते। तदपि प्रमाणं पुद्गलद्रव्यपरिणाममन्तरेण नावधार्यते। ततःपरपरिणामद्योतमानत्वाद्व्यवहारकालो निश्चयेनानन्याश्रितोऽपि
प्रतीत्यभव
[ ભગવાનશ્રીકુંદકુંદ
છે.
इत्यभिधीयते।
तदत्रास्तिकायसामान्यप्ररूपणायामस्तिकायत्वाभावात्साक्षादनुपन्यस्यमानोऽपि નીવ
निश्चयरूपस्तत्परिणामायत्ततया
व्यवहाररूपः
पुद्गलपरिणामान्यथानुपपत्त्या कालोऽस्तिकायपञ्च-कवल्लोकरूपेण परिणत इति खरतरदृष्ट्याभ्युपगम्यत इति।। २६।।
ટીકા:- અહીં વ્યવહારકાળના કથંચિત પરાશ્રિતપણા વિષે સત્ય યુક્તિ કહેવામાં આવી
પ્રથમ તો, નિમેષ-સમયાદિ વ્યવહારકાળમાં ‘ચિર’ અને ‘ક્ષિપ્ર' એવું જ્ઞાન (–લાંબો કાળ અને ટૂંકો કાળ એવું જ્ઞાન) થાય છે. તે જ્ઞાન ખરેખર લાંબા અને ટૂંકા કાળ સાથે સંબંધ રાખનારા પ્રમાણ ( -કાળપરિમાણ ) વિના સંભવતું નથી; અને તે પ્રમાણ પુદ્દગલદ્રવ્યના પરિણામ વિના નક્કી થતું નથી. તેથી, વ્યવહારકાળ પરના પરિણામ દ્વારા જણાતો હોવાથી જોકે નિશ્ચયથી તે અન્યને આશ્રિત નથી તોપણ- આશ્રિતપણે ઊપજનારો (-૫૨ને અવલંબીને ઊપજતો ) કહેવામાં આવે છે.
માટે, જોકે કાળને અસ્તિકાયપણાના અભાવને લીધે અહીં અસ્તિકાયની સામાન્ય પ્રરૂપણામાં તેનું *સાક્ષાત્ કથન નથી તોપણ, જીવ-પુદ્દગલના પરિણામની અન્યથા અનુપપતિ વડે સિદ્ધ થતો નિશ્ચયરૂપ કાળ અને તેમના પરિણામને આશ્રિત નક્કી થતો વ્યવહારરૂપ કાળ પંચાસ્તિકાયની માફક લોકરૂપે પરિણત છે- એમ, અતિ તીક્ષ્ણ દષ્ટિથી જાણી શકાય છે.
ભાવાર્થ:- ‘સમય ’ ટૂંકા છે, ‘નિમેષ’ લાંબા છે અને ‘મુહુર્ત’ તેનાથી પણ લાંબું છે એવું જે જ્ઞાન થાય છે તે ‘સમય’, ‘નિમેષ' વગેરેનું પરિમાણ જાણવાથી થાય છે; અને તે કાળપરિમાણ પુદ્દગલો દ્વારા નક્કી થાય છે. તેથી વ્યવહારકાળની ઉત્પત્તિ પુદ્દગલો દ્વારા થતી ( ઉપચારથી ) કહેવામાં આવે છે.
* સાક્ષાત્ =સીધું (કાળનું વિસ્તૃત સીધું કથન શ્રી પ્રવચનસારના દ્વિતીય-શ્રુતસ્કંધમાં કરવામાં આવ્યું છે; માટે કાળનું સ્વરૂપ વિસ્તારથી જાણવાના ઈચ્છક જિજ્ઞાસુએ પ્રવચનસારમાંથી તે જાણી લેવું.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com