SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬ ] પંચાસ્તિકાય સંગ્રહ [ ભગવાન શ્રી કુંદકુંદ यस्तु सहकारिकारणं स कालः। तत्परिणामान्यथानुपपतिगम्यमानत्वादनुक्तोऽपि निश्चयकालोऽ-स्तीति निश्चीयते। यस्तु निश्चयकालपर्यायरूपो व्यवहारकाल: स जीवपद्गलपरिणामेनाभि-व्यज्यमानत्वात्तदायत्त एवाभिगम्यत एवेति।।२३।। ववगदपणवण्णरसो ववगददोगंधअट्ठफासो य। अगुरुलहुगो अमुत्तो वट्टणलक्खो य कालो त्ति।।२४।। ગતિ, સ્થિતિ અને અવગાહરૂપ પરિણામો ધર્મ, અધર્મ અને આકાશરૂપ સહકારી કારણોના સદ્ભાવમાં હોય છે, તેમ ઉત્પાદવ્યયધ્રૌવ્યની એકતારૂપ પરિણામ સહકારી કારણના સદ્દભાવમાં હોય છે.) આ જે સહકારી કારણ તે કાળ છે. જીવ-પુદગલના પરિણામની અન્યથા અનુપપત્તિ દ્વારા જણાતો હોવાથી, નિશ્ચયકાળ-( અસ્તિકાયપણે) અનુક્ત હોવા છતાં પણ-(દ્રવ્યપણે) વિદ્યમાન છે એમ નક્કી થાય છે. અને જે નિશ્ચયકાળના પર્યાયરૂપ વ્યવહારકાળ તે, જીવપુદ્ગલોના પરિણામથી વ્યકત (-ગમ્ય) થતો હોવાથી જરૂર તદાશ્રિત જ (–જીવ અને પુદ્ગલના પરિણામને આશ્રિત જ) ગણવામાં આવે છે. ૨૩. રસવર્ણપંચક સ્પર્શ-અષ્ટક, ગંધયુગલ વિહીન છે, છે મૂતિહીન, અગુરુલઘુક છે, કાળ વર્તનલિંગ છે. ૨૪. ૧. જોકે કાળદ્રવ્ય જીવ-પુદ્ગલોના પરિણામ ઉપરાંત ધર્માસ્તિકાયાદિના પરિણામને પણ નિમિત્તભૂત છે તોપણ જીવ-પુદ્ગલોના પરિણામ સ્પષ્ટ ખ્યાલમાં આવતા હોવાથી કાળદ્રવ્યને સિદ્ધ કરવામાં માત્ર તે બેના પરિણામની જ વાત લેવામાં આવી છે. ૨. અન્યથા અનુપપત્તિ = બીજી કોઈ રીતે નહિ બની શકવું તે. [ જીવ-પુદ્ગલોના ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક પરિણામ એટલે તેમની સમયવિશિષ્ટ વૃતિ. તે સમયવિશિષ્ટ વૃત્તિ સમયને ઉત્પન્ન કરનારા કોઈ પદાર્થ વિના (-નિશ્ચયકાળ વિના) હોઈ શકે નહિ. જેમ આકાશ વિના દ્રવ્યો અવગાહુ પામી શકે નહિ અર્થાત તેમને વિસ્તાર (તિર્યકપણું) હોઈ શકે નહિ તેમ નિશ્ચયકાળ વિના દ્રવ્યો પરિણામ પામી શકે નહિ અર્થાત્ તેમને પ્રવાહ (ઊર્ધ્વપણું) હોઈ શકે નહિ. આ પ્રમાણે નિશ્ચયકાળની દ્યાતી વિના (અર્થાત નિમિત્તભૂત કાળદ્રવ્યના સદભાવ વિના) બીજી કોઈ રીતે જીવ-પુદગલના પરિણામ બની શકતા નથી તેથી “નિશ્ચયકાળ વિધમાન છે” એમ જણાય છે- નક્કી થાય છે. ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy