________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૬ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
भिन्नानि विशेषादेशाद्भिन्नानि युगपद्भावीनि स्वभावभूतानि द्रव्यस्य लक्षणं भवन्तीति । गुणपर्याया वा द्रव्यलक्षणम्। अनेकान्तात्मकस्य वस्तुनोऽन्वयिनो विशेषा गुणा व्यतिरेकिण: पर्यायास्ते द्रव्ये यौगपद्येन क्रमेण च प्रवर्तमानाः कथञ्चिद्भिन्नाः कथञ्चिदभिन्ना: स्वभावभूताः द्रव्यलक्षणतामा-पद्यन्ते। त्रयाणामप्यमीषां
द्रव्यलक्षणानामेकस्मिन्नभिहितेऽन्यदुभयमर्थादेवापद्यते।
गुणपर्यायवच्च।
उत्पादव्ययध्रौव्यवच्चेत्सच्च
सच्चेदुत्पाद-व्ययध्रौव्यवच गुणपर्यायवच्च । गुणपर्यायवच्चेत्सच्चोत्पादव्ययध्रौव्यवच्चेति । सद्धि निन्यानित्यस्वभावत्वाद्ध्रुवत्वमुत्पादव्ययात्मकताञ्च प्रथयति, ध्रुवत्वात्मकैर्गुणैरुत्पादव्ययात्मकैः पर्यायैश्च सहैकत्वञ्चाख्याति। उत्पादव्ययध्रौव्याणि तु नित्या
नित्यस्वरूपं
તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય-કે જેઓ સામાન્ય આદેશે અભિન્ન છે (અર્થાત સામાન્ય કથને દ્રવ્યથી અભિન્ન છે), વિશેષ આદેશે (દ્રવ્યથી ) ભિન્ન છે, યુગપદ વર્તે છે અને સ્વભાવભૂત છે તેઓ – દ્રવ્યનું લક્ષણ છે.
અથવા, ગુણપર્યાયો દ્રવ્યનું લક્ષણ છે. અનેકાંતાત્મક વસ્તુના * અન્વયી વિશેષો તે ગુણો છે અને વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે. તે ગુણપર્યાયો (ગુણો અને પર્યાયો કે જેઓ દ્રવ્યમાં એકસાથે અને ક્રમે પ્રવર્તે છે, (દ્રવ્યથી ) કથંચિત ભિન્ન ને કથંચિત અભિન્ન છે તથા સ્વભાવભૂત છે તેઓ દ્રવ્યનું લક્ષણ છે.
દ્રવ્યનાં આ ત્રણે લક્ષણોમાંથી ( સત, ઉત્પાદવ્યયધ્રૌવ્ય અને ગુણપર્યાયો એ ત્રણ લક્ષણોમાંથી) એક કહેતાં બાકીનાં બંને (વગરકહ્યુ) અર્થથી જ આવી જાય છે. જો દ્રવ્ય સત્ હોય, તો તે (૧) ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું અને (૨) ગુણપર્યાયવાળું હોય; જો ઉત્પાદવ્યયૌવ્યવાળું હોય, તો તે (૧) સત્ અને (૨) ગુણપર્યાયવાળું હોય;જો ગુણપર્યાયવાળું હોય, તો તે (૧) સત્ અને (૨) ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું હોય. તે આ પ્રમાણે:- સત્ નિત્યાનિત્યસ્વભાવવાળું હોવાથી (૧) ધ્રૌવ્યને અને ઉત્પાદવ્યયાત્મકતાને જાહેર કરે છે તથા (૨) ધ્રૌવ્યાત્મક ગુણો અને ઉત્પાદવ્યયાત્મક પર્યાયો સાથે એકત્વ દર્શાવે છે. ઉત્પાદવ્યયૌવ્ય (૧) નિત્યાનિત્યસ્વરૂપ પારમાર્થિક
* અન્વય ને વ્યતિરેકના અર્થ માટે ૧૩ મા પાને પટિપ્પણ જુઓ.
૧. પારમાર્થિક=વાસ્તવિક; યથાર્થ; ખરું. (વાસ્તવિક સત્ નિત્યાનિત્યસ્વરૂપ હોય છે. ઉત્પાદવ્યય અનિત્યતાને અને ધ્રૌવ્ય નિત્યતાને જણાવે છે તેથી ઉત્પાદવ્યયૌવ્ય નિત્યાનિત્યસ્વરૂપ વાસ્તવિક સત્ન જણાવે છે. આ રીતે ‘દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું છે' એમ કહેતાં ‘તે સત્ છે' એમ પણ વગરકહ્યે જ આવી જાય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com