________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૨૫
द्रव्यं सल्लक्षणकं उत्पादव्ययध्रुवत्वसंयुक्तम्। गुणपयायाश्रयं वा यत्तद्भणन्ति सर्वज्ञा।।१०।।
अत्र त्रेधा द्रव्यलक्षणमुक्तम्।
सट्रव्यलक्षणम् उक्तलक्षणायाः सत्ताया अविशेषाव्यस्य सत्स्वरूपमेव लक्षणम्। न चानेकान्तात्मकस्य द्रव्यस्य सन्मात्रमेव स्वं रूपं यतो लक्ष्यलक्षणविभागाभाव इति। उत्पादव्ययध्रौव्याणि वा द्रव्यलक्षणम्। एकजात्यविरोधिनि क्रमभुवां भावानां संताने पूर्वभावविनाश: सुमच्छेदः, उत्तरभावप्रादुर्भावश्च समुत्पादः, पूर्वोतरभावोच्छेदोत्पादयोरपि स्वजातेरपरित्यागो ध्रौव्यम्। तानि सामान्यादेशाद
અન્વયાર્થ:- [ ય] જે [ સન્નક્ષામ] “સ” લક્ષણવાળુ છે, [૩Fાવ્યયઘુવત્વસંયુક્] જે ઉત્પાદવ્યયધ્રૌવ્યસંયુકત છે [વા] અથવા [ ગુણપર્યાયાશ્રયમ્] જે ગુણપર્યાયોનો આશ્રય છે, [ ત] તેને [ સર્વજ્ઞા:] સર્વજ્ઞો [ દ્રવ્ય] દ્રવ્ય [ મળત્તિ] કહે છે.
ટીકા:- અહીં ત્રણ પ્રકારે દ્રવ્યનું લક્ષણ કહ્યું છે.
સ” દ્રવ્યનું લક્ષણ છે. પુર્વોક્ત લક્ષણવાળી સત્તાથી દ્રવ્ય અભિન્ન હોવાને લીધે “સ” સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે. વળી અનેકાંતાત્મક દ્રવ્યનું સમાત્ર જ સ્વરૂપ નથી
સમાત્ર જ સ્વરૂપ નથી કે જેથી લક્ષ્યલક્ષણના વિભાગનો અભાવ થાય. (સત્તાથી દ્રવ્ય અભિન્ન છે તેથી દ્રવ્યનું જે સત્તારૂપ સ્વરૂપ તે જ દ્રવ્યનું લક્ષણ છે. પ્રશ્ન- જો સત્તા ને દ્રવ્ય અભિન્ન છે – સત્તા દ્રવ્યનું સ્વરૂપ તે જ છે, તો “સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય છે' એવો વિભાગ કઈ રીતે ઘટે છે? ઉત્તરઅનેકાંતાત્મક દ્રવ્યનાં અનંત સ્વરૂપો છે, તેમાંથી સત્તા પણ તેનું એક સ્વરૂપ છે; તેથી અનંતસ્વરૂપવાળું દ્રવ્ય લક્ષ્ય છે અને તેનું સત્તા નામનું સ્વરૂપ લક્ષણ છે - એવો લક્ષ્યલક્ષણવિભાગ અવશ્ય ઘટે છે. આ રીતે અબાધિતપણે સત્ દ્રવ્યનું લક્ષણ છે.)
અથવા, ઉત્પાદવ્યયધ્રૌવ્ય દ્રવ્યનું લક્ષણ છે. *એક જાતિનો અવિરોધક એવો જે કમભાવી ભાવોનો પ્રવાહ તેમાં પૂર્વ ભાવનો વિનાશ તે વ્યય છે, ઉત્તર ભાવનો પ્રાદુર્ભાવ(પછીના ભાવની એટલે કે વર્તમાન ભાવની ઉત્પત્તિ) તે ઉત્પાદ છે અને પૂર્વ-ઉત્તર ભાવોના વ્યયઉત્પાદ થતાં પણ સ્વજાતિનો અત્યાગ તે ધ્રૌવ્ય છે.
* દ્રવ્યમાં ક્રમભાવી ભાવોનો પ્રવાહ એક જાતિને ખંડતો-તોડતો નથી અર્થાત જાતિ-અપેક્ષાએ સદા
એકપણું જ રાખે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com