SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ ] પંચાસ્તિકાય સંગ્રહ [ ભગવાનશ્રીકુંદકુંદ सद्भावपर्यायान् स्वभावविशेषानित्यनुगतार्थया निरुक्त्या द्रव्यं व्याख्यातम्। द्रव्यं च लक्ष्यलक्षणभावादिभ्यः कथञ्चिद्रेदेऽपि वस्तुतः सत्ताया अपृथग्भूतमेवेति मन्तव्यम्। ततो यत्पूर्वं सत्त्वमसत्त्वं त्रिलक्षणत्वमविलक्षणत्वमेकत्वमनेकत्वं सर्वपदार्थस्थितत्वमेकपदार्थस्थितत्वं विश्व-रूपत्वमेकरूपत्वमनन्तपर्यायत्वमेकपर्यायत्वं च प्रतिपादितं सत्तायास्तत्सर्वं तदनन्तरभूतस्य द्रव्यास्यैव द्रष्टव्यम्। ततो न कश्चिदपि तेषु सत्ता विशेषोऽवशिष्येत य: सत्तां वस्तुतो द्रव्यात्पृथक् व्यवस्थापयेदिति।।९।। दव्वं सल्लक्खणयं उप्पादव्वयधुवत्तसंजुतें गुणपज्जयास्यं वा जं तं भण्णंति सव्वण्हु।।१०।। જે દ્રવે છે- પામે છે અને સામાન્યરૂપ સ્વરૂપે વ્યાપે છે તે દ્રવ્ય છે' –એમ અનુગત અર્થવાળી નિકિતથી દ્રવ્યની વ્યાખ્યા કરવામાં આવી. વળી જોકે લક્ષ્યલક્ષણભાવાદિક દ્વારા દ્રવ્યને સત્તાથી કથંચિત્ ભેદ છે તોપણ વસ્તુતઃ (પરમાર્થે) દ્રવ્ય સત્તાથી અપૃથક જ છે એમ માનવું. માટે પૂર્વે (૮મી ગાથામાં) સત્તાને જે સત્પણું, અસત્પણું, ત્રિલક્ષણપણું, અત્રિલક્ષણપણું, એકપણું, અનેકપણું, સર્વપદાર્થસ્થિતપણું, એકપદાર્થસ્થિતપણું, વિશ્વરૂપપણું, એકરૂપપણું, અનંતપર્યાયમયપણું અને એકપર્યાયમયપણું કહેવામાં આવ્યું તે બધું સત્તાથી અનર્થાતરભૂત (-અભિન્ન પદાર્થભૂત, અનન્યપદાર્થભૂત) દ્રવ્યને જ દેખવું ( અર્થાત્ સત્પણું, અસત્પણું, ત્રિલક્ષણપણું, અત્રિલક્ષણપણું વગેરે બધા સત્તાના વિશેષો દ્રવ્યના જ છે એમ માનવું છે. તેથી તેમનામાં (–તે સત્તાના વિશેષોમાં) કોઈ સત્તાવિશેષ બાકી રહેતો નથી કે જે સત્તાને વસ્તુતઃ (પરમાર્થે) દ્રવ્યથી પૃથક સ્થાપે ૯. છે સત્ત્વ લક્ષણ જેહનું, ઉત્પાદવ્યયધ્રુવયુક્ત જે, ગુણપર્યયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. ૧૦ ૧. શ્રી જયસેનાચાર્યદેવની ટીકામાં પણ અહીંની માફક જ ‘પ્રવતિ ઋતિ' નો એક અર્થ તો “દ્રવે છે અર્થાત પામે છે' એમ કરવામાં આવ્યો છે; તે ઉપરાંત ‘ડ્રવતિ' એટલે સ્વભાવપર્યાયોને દ્રવે છે અને રાતિ એટલે વિભાવપર્યાયોને પામે છે' એવો બીજો અર્થ પણ ત્યાં કરવામાં આવ્યો છે. ૨. અહીં દ્રવ્યની જે નિકિત કરવામાં આવી છે તે “' ધાતુને અનુસરતા (–મળતા) અર્થવાળી છે. ૩. સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy