________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પડદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૩
पञ्चास्तिकायषड्द्रव्यप्रकारेण प्ररूपणम्। पूर्वं मूलपदार्थानामिह सूत्रकृता कृतम्।।४।। जीवाजीवद्विपर्यायरूपाणां चित्रवर्मनाम्। ततोनवपदार्थानां व्यवस्था प्रतिपादिता।।५।। ततस्तत्त्वपरिज्ञानपूर्वेण त्रितयात्मना। प्रोक्ता मार्गेण कल्याणी मोक्षप्राप्तिरपश्चिमा।।६।।
[શ્લોકાર્થ:-] અહીં પહેલાં *સુત્રકર્તાએ મૂળ પદાર્થોનું પંચાસ્તિકાય અને પદ્રવ્યના પ્રકારથી પ્રરૂપણ કર્યું છે (અર્થાત્ આ શાસ્ત્રમાં પ્રથમ અધિકારને વિષે શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવે વિશ્વના મૂળ પદાર્થોનું પાંચ અસ્તિકાય અને છ દ્રવ્યની પદ્ધતિથી નિરૂપણ કર્યું છે). [૪]
[શ્લોકાર્થ-] પછી (બીજા અધિકારમાં), જીવ અને અજીવ એ એના પર્યાયરૂપ નવ પદાર્થોની -કે જેમના માર્ગ અર્થાત કાર્ય ભિન્નભિન્ન પ્રકારના છે તેમની –વ્યવસ્થા પ્રતિપાદિત કરી છે. [૫]
[શ્લોકાર્થ-] પછી (બીજા અધિકારના અંતમાં) તત્ત્વના પરિજ્ઞાનપૂર્વક (પંચાસ્તિકાય, પદ્રવ્ય અને નવ પદાર્થના યથાર્થ જ્ઞાનપૂર્વક) ત્રયાત્મક માર્ગથી (સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રાત્મક માર્ગથી) કલ્યાણસ્વરૂપ ઉત્તમ મોક્ષપ્રાતિ કહી છે. [૬]
* આ શાસ્ત્રના કર્તા શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવ છે. તેમનાં બીજાં નામો પદ્મનંદી વક્રગ્રીવાચાર્ય,
એલાચાર્ય અને ગૃધ્રપિચ્છાચાર્ય છે. શ્રી જયસેનાચાર્યદવ આ શાસ્ત્રની તાત્પર્યવૃતિ નામની ટીકાનો પ્રારંભ કરતાં લખે છે કે: “હવે શ્રી કુમારનંદી-સિદ્ધાંતિદેવના શિષ્ય શ્રીમકુંદકુંદાચાર્યદવે- જેમનાં બીજાં નામો પદ્મનંદી વગેરે હતાં તેમણે-પ્રસિદ્ધકથાન્યાયે પૂર્વવિદેહમાં જઈ વીતરાગ-સર્વજ્ઞા સીમંધરસ્વામી તીર્થંકરપરમદેવનાં દર્શન કરીને, તેઓશ્રીનામુખકમળથી નીકળેલી દિવ્ય વાણીના શ્રવણ વડ અવધારિત પદાર્થ દ્વારા શુદ્ધાત્મતત્ત્વાદિ સારભૂત અર્થને ગ્રહીને, ત્યાંથી પાછા આવી અંત:તત્ત્વ અને બહિ:તત્ત્વના ગૌણ-મુખ્ય પ્રતિપાદન અર્થે અથવા શિવકુમારમહારાજાદિ સંક્ષેપરુચિ શિષ્યના પ્રતિબોધન અર્થ રચેલા પંચાસ્તિકાય-પ્રાભૃતશાસ્ત્રનું યથાક્રમે અધિકારશુદ્ધિપૂર્વક તાત્પર્યાર્થરૂપ વ્યાખ્યાન કરવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com