________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
दुर्निवारनयानीकविरोधध्वंसनौषधिः। स्यात्कारजीविता जीयाज्जैनी सिद्धान्तपद्धतिः।।२।। सम्यग्ज्ञानामलज्योतिर्जननी द्विनयाश्रया। अथातः समयव्याख्या संक्षेपेणाऽभिधीयते।।३।।
[ હવે ટીકાકાર આચાર્યદેવ શ્લોક દ્વારા જિનવાણીની સ્તુતિ કરે છે. ]
[શ્લોકાર્થ –] સ્યાત્કાર જેનું જીવન છે એવી જૈની (-જિનભગવાનની) સિદ્ધાંતપદ્ધતિ- કે જે દુર્નિવાર નયસમૂહના વિરોધનો નાશ કરનારી ઔષધિ છે તે- જયવંત હો. [૨]
| [ હવે ટીકાકાર આચાર્યદેવ શ્લોક દ્વારા આ પંચાસ્તિકાયસંગ્રહ નામના શાસ્ત્રની ટીકા રચવાની પ્રતિજ્ઞા કરે છે]
[શ્લોકાર્થ –] હવે અહીંથી, જે સમ્યજ્ઞાનરૂપી નિર્મળ જ્યોતિની જનની છે એવી દ્વિનયાશ્રિત (બે નયોનો આશ્રય કરનારી) સમયવ્યાખ્યા (પંચાસ્તિકાયસંગ્રહ નામના શાસ્ત્રની સમયવ્યાખ્યા નામની ટીકા) સંક્ષેપથી કહેવામાં આવે છે. [૩]
[ હવે ત્રણ શ્લોકો દ્વારા ટીકાકાર આચાર્યદવ આ પંચાસ્તિકાયસંગ્રહ નામના શાસ્ત્રમાં કયા કયા વિષયોનું નિરૂપણ છે તે અતિ સંક્ષેપથી કહે છે.]
૧. “સ્યાત્’ પદ જિનદેવની સિદ્ધાંત પદ્ધતિનું જીવન છે. (સ્તા= કથંચિતઃ કોઈ અપેક્ષાથી; કોઈ પ્રકારે.) ૨. દુર્નિવાર = નિવારવો મુશ્કેલ; ટાળવો મુશ્કેલ. ૩. દરેક વસ્તુ નિત્યત્વ, અનિત્યત્વ વગેરે અનેક અંતમય (ધર્મમય) છે. વસ્તુની સર્વથા નિત્યતા તેમ જ સર્વથા અનિત્યતા માનવામાં પૂરેપૂરો વિરોધ આવતો હોવા છતાં, કથંચિત્ (અર્થાત્ દ્રવ્યઅપેક્ષાએ) નિત્યતા અને કથંચિત્ (અર્થાત્ પર્યાય-અપેક્ષાએ)અનિત્યતા માનવામાં જરા પણ વિરોધ આવતો નથી એમ જિનવાણી સ્પષ્ટ સમજાવે છે. આ રીતે જિનભગવાનની વાણી સ્યાદ્વાદ વડ (અપેક્ષાકથનથી) વસ્તુનું પરમ યથાર્થ નિરૂપણ કરીને, નિત્યત્વ-અનિત્યતાદિ ધર્મોમાં (અને તે તે ધર્મ બતાવનારા નયોમાં ) અવિરોધ (સુમેળ ) અબાધિતપણે સિદ્ધ કરે છે અને એ ધર્મો વિના વસ્તુની નિષ્પત્તિ જ ન હોઈ શકે એમ નિબંધપણે સ્થાપે છે. ૪. સમયવ્યાખ્યા સમયની વ્યાખ્યા; પંચાસ્તિકાયની વ્યાખ્યા; દ્રવ્યની વ્યાખ્યા; પદાર્થની વ્યાખ્યા. [ વ્યાખ્યા=વ્યાખ્યાન; સ્પષ્ટ કથન, વિવરણ; સ્પષ્ટીકરણ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com