________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૦૧ संधुनोति एतेन निर्जरामुख्यत्वे हेतुत्वं ध्यानस्य द्योतितमिति।। १४५ ।।
जस्स ण विजुदि रागो दोसो मोहो व जोगपरिकम्मो। तस्स सुहासुहडहणो ज्ञाणमओ जायदे अगणी।। १४६ ।।
यस्य न विद्यते रागो द्वेषो मोहो वा योगपरिकर्म। तस्य शुभाशुभदहनो ध्यानमयो जायते अग्निः ।। १४६ ।।
ध्यानस्वरूपाभिधानमेतत्।
शुद्धस्वरूपेऽविचलितचैतन्यवृत्तिर्हि ध्यानम्। अथास्यात्मलाभविधिरभिधीयते। यदा खलु योगी दर्शनचारित्रमोहनीयविपाकं पुद्गलकर्मत्वात् कर्मसु संहृत्य, तदनुवृत्ते: व्यावृत्त्योपयोगम-मुह्यन्तमरज्यन्तमद्विषन्तं चात्यन्तशुद्ध एवात्मनि निष्कम्पं
આથી (-આ ગાથાથી) એમ દર્શાવ્યું કે નિર્જરાનો મુખ્ય હેતુ ધ્યાન છે. ૧૪૫.
નહિ રાગદ્વેષવિમોહ ને નહિ યોગસેવન જેહને, પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬.
અન્વયાર્થ- [ યસ્ય ] જેને [ મોદ: રા: ‘ષ: ] મોહ અને રાગદ્વેષ [ન વિદ્યતે] નથી [ વા] તથા [ યો|પરિક] યોગોનું સેવન નથી (અર્થાત મન-વચન-કાયા પ્રત્યે ઉપેક્ષા છે), [ ત૨] તેને [ શુમાશુમવદન:] શુભાશુભને બાળનારો [ ધ્યાનમય: શિઃ] ધ્યાનમય અગ્નિ [નાયતે] પ્રગટે છે.
ટીકાઃ- આ, ધ્યાનના સ્વરૂપનું કથન છે.
શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યપરિણતિ તે ખરેખર ધ્યાન છે. તે ધ્યાન પ્રગટવાની વિધિ હવે કહેવામાં આવે છે; જ્યારે ખરેખર યોગી, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો વિપાક પુદ્ગલકર્મ હોવાથી તે વિપાકને (પોતાથી ભિન્ન એવાં અચેતન) કર્મોમાં સમેટી દઈને, તદનુસાર પરિણતિથી ઉપયોગને વ્યાવૃત્ત કરીને (તે વિપાકને અનુરૂપ પરિણમવામાંથી ઉપયોગને નિવર્તાવીને), મોહી, રાગી અને દ્વેષી નહિ થતા એવા તે ઉપયોગને અત્યંત શુદ્ધ આત્મામાં જ નિષ્કપપણે લીન કરે
૧. આ ધ્યાન શુદ્ધભાવરૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com