________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદ
जस्स ण विज्जदि रागो दोसो मोहो व सव्वदव्वेसु। णासवदि सुहं असुहं समसुहदुक्खस्स भिक्खुस्स।।१४२।।
यस्य न विद्यते रागो द्वेषो मोहो वा सर्वद्रव्येषु। नास्रवति शुभमशुभं समसुखदुःखस्य भिक्षोः।। १४२।।
सामान्यसंवरस्वरूपाख्यानमेतत।
यस्य रागरूपो द्वेषरूपो मोहरूपो वा समग्रपरद्रव्येषु न हि विद्यते भावः तस्य निर्विकारचैतन्यत्वात्समसुखदुःखस्य भिक्षोः शुभमशुभञ्च कर्म नास्रवति, किन्तु संवियत एव। तदत्र मोहरागद्वेषपरिणामनिरोधो भावसंवरः। तन्निमित्तः शुभाशुभकर्मपरिणामनिरोधो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यसंवर इति।।१४२।।
સૌ દ્રવ્યમાં નહિ રાગ-દ્વેષ-વિમોહ વર્તે જેહને, શુભ-અશુભ કર્મ ન આસવે સમદુઃખસુખ તે ભિક્ષુને. ૧૪૨
અન્વયાર્થ- [ યસ્ય] જેને [ સર્વદ્રવ્યy] સર્વ દ્રવ્યો પ્રત્યે [RIT ] રાગ, [ Às:] શ્રેષ [વા] કે [ મોદ:] મોહ [ ન વિદ્યતે] નથી, [ સમસુરવહુવચ્ચે મિક્ષો] તે સમસુખદુ:ખ ભિક્ષુને (–સુખદુ:ખ પ્રત્યે સમભાવવાળા મુનિને) [શુભમ્ કશુમમ્] શુભ અને અશુભ કર્મ [ મામ્રવતિ] આસ્રવતું નથી.
ટીકાઃ- આ, સામાન્યપણે સંવરના સ્વરૂપનું કથન છે.
જેને સમગ્ર પરદ્રવ્યો પ્રત્યે રાગરૂપ, દ્વેષરૂપ કે મોહરૂપ ભાવ નથી, તે ભિક્ષુને -કે જે નિર્વિકારચૈતન્યપણાને લીધે *સમસુખદુ:ખ છે તેને-શુભ અને અશુભ કર્મનો આસ્રવ થતો નથી, પરંતુ સંવર જ થાય છે. તેથી અહીં ( એમ સમજવું કે) મોહરાગદ્વેષપરિણામનો નિરોધ તે ભાવસંવર છે, અને તે (મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના શુભાશુભકર્મપરિણામનો (શુભાશુભકર્મરૂપ પરિણામનો) નિરોધ તે દ્રવ્યસંવર છે. ૧૪૨.
* સમસુખદુઃખ = સુખદુ:ખે જેને સમાન છે એવા: ઇષ્ટાનિષ્ટ સંયોગોમાં જેને હર્ષશોકાદિ વિષમ
પરિણામ થતા નથી એવા. [ જેને રાગદ્વેષમોહ નથી, તે મુનિ નિર્વિકારચૈતન્યમય છે અર્થાત્ તેનું ચૈતન્ય પર્યાય પણ વિકારરહિત છે તેથી તે સમસુખદુ:ખ છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com