________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
ભગવાન શ્રી કુંદકુંદ
एवमभिगम्म जीवं अण्णेहिं वि पज्जएहिं बहुगेहिं। अभिगच्छदु अज्जीवं णाणंतरिदेहिं लिंगेहिं।। १२३ ।।
एवमभिगम्य जीवमन्यैरपि पर्यायैर्बहुकैः। अभिगच्छत्वजीवं ज्ञानांतरितैर्लिङ्गैः।। १२३ ।।
जीवाजीवव्याखयोपसंहारोपक्षेपसूचनेयम्।
एवमनया दिशा व्यवहारनयेन कर्मग्रंथप्रतिपादितजीवगुणमार्गणास्थानादि
હિત-અહિતમાં પ્રવર્તતાં નથી કે તેમનાં ફળને ભોગવતાં નથી; માટે જે જાણે છે અને દેખે છે, સુખની ઇચ્છા કરે છે, દુઃખના ભયની લાગણી કરે છે, શુભ-અશુભ ભાવોમાં પ્રવર્તે છે અને તેમનાં ફળને ભોગવે છે, તે, અચેતન પદાર્થોની સાથે રહ્યો હોવા છતાં સર્વ અચેતન પદાર્થોની ક્રિયાઓથી તદ્ન વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓને કરનારો, એક વિશિષ્ટ પદાર્થ છે. આમ જીવ નામનો ચૈતન્યસ્વભાવી પદાર્થવિશેષ-કે જેને જ્ઞાનીઓ સ્વયં સ્પષ્ટ અનુભવે છે તે-તેની અસાધારણ ક્રિયાઓ દ્વારા અનુમેય પણ છે. ૧૨૨.
બીજાય બહુ પર્યાયથી એ રીત જાણી જીવને, જાણો અજીવપદાર્થ જ્ઞાનવિભિન્ન જડ લિંગો વડે. ૧૨૩.
અન્વયાર્થ- [gવન ] એ રીતે [ અજો: પ વ૬: પર્યા: ] બીજા પણ બહુ પર્યાયો વડે [ નીવ મીચ ] જીવને જાણીને [ જ્ઞાનાંતરિતૈ: નિઃ] જ્ઞાનથી અન્ય એવા (જડ) લિંગો વડે [ શનીવમ્ માછ0] અજીવને જાણો.
ટીકાઃ- આ, જીવ-વ્યાખ્યાનના ઉપસંહારની અને અજીવ-વ્યાખ્યાનના પ્રારંભની સૂચના
એ રીતે આ નિર્દેશ પ્રમાણે (અર્થાત ઉપર સંક્ષેપમાં સમજાવ્યા પ્રમાણે), (૧) વ્યવહારનયથી કર્મગ્રંથપ્રતિપાદિત જીવસ્થાન-ગુણસ્થાન-માર્ગણાસ્થાન ઇત્યાદિ
૧. કર્મગ્રંથપ્રતિપાદિત = ગોમ્મસારાદિ કર્યપદ્ધતિના ગ્રંથોમાં પ્રરૂપવામાં-નિરૂપવામાં આવેલાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com