________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૪૯
भाञ्जि भवन्ति, तथा कालोऽपि । इत्येवं षड्द्रव्याणि । किंतु यथा जीवपुद्गलधर्माधर्माकाशानां द्व्यादिप्रदेशलक्षणत्वमस्ति अस्तिकायत्वं, न तथा लोकाकाशप्रदेशसंख्यानामपि कालाणूनामेक-प्रदेशत्वादस्त्यस्तिकायत्वम्। अत एव च पञ्चास्तिकायप्रकरणे न हीह जीवपुद्गलपरिणामावच्छिद्यमानपर्यायत्वेन
मुख्यत्वेनोपन्यस्तः
ગત:ા
तत्परिणामान्यथानुपपत्यानुमीयमानद्रव्यत्वेना-त्रैवांतर्भावितः।। १०२।।
-इति कालद्रव्यव्याख्यानं समाप्तम्।
एवं पवयणसारं पंचत्थियसंगहं वियाणित्ता। जो मुयदि रागदासे सो गाहदि दुक्खपरिमोक्खं ।। १०३ ।।
સઘળાં લક્ષણોનો સદ્દભાવ હોવાથી ) ‘દ્રવ્ય ’ સંજ્ઞાને પામે છે. એ પ્રમાણે છ દ્રવ્યો છે. પરંતુ જેમ જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ અને આકાશને દ્વિ-આદિ પ્રદેશો જેનું લક્ષણ છે એવું અસ્તિકાયપણું છે, તેમ કાળાણુઓને-જોકે તેમની સંખ્યા લોકાકાશના પ્રદેશો જેટલી (અસંખ્ય ) છે તોપણએકપ્રદેશીપણાને લીધે અસ્તિકાયપણું નથી. અને આમ હોવાથી જ (અર્થાત્ કાળ અસ્તિકાય નહિ હોવાથી જ) અહીં પંચાસ્તિકાયના પ્રકરણમાં મુખ્યપણે કાળનું કથન કરવામાં આવ્યું નથી; ( પરંતુ ) જીવ-પુદ્દગલોના પરિણામ દ્વારા જે જણાય છે- મપાય છે એવા તેના પર્યાય હોવાથી તથા જીવ-પુદ્દગલોના પરિણામની અન્યથા અનુપપત્તિ દ્વારા જેનું અનુમાન થાય છે એવું તે દ્રવ્ય હોવાથી તેને અહીં અંતર્ભત કરવામાં આવ્યો છે. ૧૦૨
આ રીતે કાળદ્રવ્યનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
એ રીતે પ્રવચનસારરૂપ ‘ પંચાસ્તિસંગ્રહ ’ જાણીને જે જીવ છોડે રાગદ્વેષ, લહે સકળદુખમોક્ષને. ૧૦૩.
૧. દ્વિ–આદિ=બે અથવા વધારે; બેથી માંડીને અનંત પર્યંત.
૨. અંતર્ભૂત કરવું=અંદર સમાવી લેવું સમાવિષ્ટ કરવું; સમાવેશ કરવો (આ ‘પંચાસ્તિકાયસંગ્રહ નામના શાસ્ત્રમાં કાળનું મુખ્યપણે વર્ણન નથી, પાંચ અસ્તિકાયોનું મુખ્યપણે વર્ણન છે. ત્યાં જીવાસ્તિકાય અને પુદ્દગલાસ્તિકાયના પરિણામોનું વર્ણન કરતાં, તે પરિણામો દ્વારા જેના પરિણામો જણાય છે- મપાય છે તે પદાર્થને (કાળને) તથા તે પરિણામોની અન્યથા અનુપપત્તિ દ્વારા જેનું અનુમાન થાય છે તે પદાર્થને (કાળને ) ગૌણપણે વર્ણવવો ઉચિત છે એમ ગણીને અહીં પંચાસ્તિકાયપ્રકરણની અંદર ગૌણપણે કાળના વર્ણનનો સમાવેશ કરવામાં આવ્યો છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com