________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૪૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
साधनं कर्मनोकर्मोपचयरूपाः पुद्गला इति ते पुद्गलकरणाः। तदभावान्निः क्रियत्वं सिद्धानाम्। पुद्गलानां सक्रियत्वस्य बहिरङ्गसाधनं परिणामनिर्वर्तकः काल इति ते कालकरणाः न च कार्मादीनामिव कालस्याभावः । ततो न सिद्धानामिव निष्क्रियत्वं पुद्गलानामिति।। ९८ ।।
जे खलु इंदियगेज्झा विसया जीवेहि हौंति ते मुत्ता। सेसं हवदि अमूत्तं चित्तं उभयं समादियादि ।। ९९ ।।
ये खलु इन्द्रियग्राह्या विषया जीवैर्भवन्ति ते मूर्तोः । शेषं भवत्यमूर्तं चितमुभयं समाददाति ।। ९९ ।।
मूर्तीमूर्तलक्षणाख्यानमेतत्।
જીવોને સક્રિયપણાનું બહિરંગ સાધન કર્મ-નોકર્મના સંચયરૂપ પુદ્દગલો છે; તેથી જીવો પુદ્દગલકરણવાળા છે. તેના અભાવને લીધે ( -પુદ્દગલકરણના અભાવને લીધે ) સિદ્ધોને નિષ્ક્રિયપણું છે ( અર્થાત્ સિદ્ધોને કર્મ-નોકર્મના સંચયરૂપ પુદ્દગલોનો અભાવ હોવાથી તેઓ નિષ્ક્રિય છે. ) પુદ્દગલોને સક્રિયપણાનું બહિરંગ સાધન પરિણામનિષ્પાદક કાળ છે; તેથી પુદ્દગલો કાળકરણવાળા છે.
કર્માદિકની માફક ( અર્થાત્ જેમ કર્મ-નોકર્મરૂપ પુદ્દગલોનો અભાવ થાય છે તેમ) કાળનો અભાવ હોતો નથી; તેથી સિદ્ધોની માફક (અર્થાત્ જેમ સિદ્ધોને નિષ્ક્રિયપણું હોય છે તેમ ) પુદ્દગલોને નિષ્ક્રિયપણું હોતું નથી. ૯૮.
છે જીવને જે વિષય ઇંદ્રિયગ્રાહ્ય, તે સૌ મૂર્ત છે; બાકી બધુંય અમૂર્ત છે; મન જાણતું તે ઉભય ને. ૯૯.
અન્વયાર્થ:- [યે જીતુ] જે પદાર્થો [ નીર્વે: રૂન્દ્રિયગ્રાહ્યા:વિષયા: ] જીવોના ઇંદ્રિયગ્રાહ્ય વિષયો છે [તે મૂર્તા: ભવન્તિ] તેઓ મૂર્ત છે અને [શેષં] બાકીનો પદાર્થસમૂહ [ અમૂર્ત મવતિ] અમૂર્ત છે. [વિત્તભ્] ચિત્ત [૩મયં] તે બંનેને [સમાવવાતિ] ગ્રહણ કરે છે ( –જાણે છે ).
ટીકાઃ- આ, મૂર્ત અને અમૂર્તનાં લક્ષણનું કથન છે.
* પરિણામનિષ્પાદક=પરિણામનો નિપજાવનારો; પરિણામ નીપજવામાં જે નિમિત્તભૂત (બહિરંગ સાધનભૂત ) છે એવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com