________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પડદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૩૫
विद्यते येषां गमनं स्थानं पुनस्तेषामेव संभवति। ते स्वकपरिणामैस्तु गमनं स्थानं च कुर्वन्ति।। ८९ ।।
धर्माधर्मयोरौदासीन्ये हेतूपन्यासोऽयम्।
धर्मः किल न जीवपुद्गलानां कदाचिद्गतिहेतुत्वमभ्यस्यति, न कदाचित्स्थितिहेतुत्वमधर्मः। तौ हि परेषां गतिस्थित्योर्यदि मुख्यहेतू स्यातां तदा येषां गतिस्तेषां गतिरेव न स्थितिः, येषां स्थितिस्तेषां स्थितिरेव न गतिः। तत एकेषामपि गतिस्थितिदर्शनादनुमीयते न तौ तयोर्मुख्यहेतू। किं तु व्यवहारनयव्यवस्थापितौ उदासीनौ। कथमेवं गतिस्थितिमतां पदार्थोनां गतिस्थिती भवत इति चेत्, सर्वे हि
અન્વયાર્થઃ- [ ચેષ મન વિદ્યતે] (ધર્મ-અધર્મ ગતિ-સ્થિતિના મુખ્ય હેતુઓ નથી, કારણ કે ) જેમને ગતિ હોય છે [ તેષા ઇવ પુન: સ્થાને રમવતિ] તેમને જ વળી સ્થિતિ થાય છે (અને જેમને સ્થિતિ હોય છે તેમને જ વળી ગતિ થાય છે). [ તે તુ] તેઓ (ગતિસ્થિતિમાન પદાર્થો) તો [સ્વપરિણામૈ: ] પોતાના પરિણામોથી [ મ રથાને ] ગતિ અને સ્થિતિ [ ર્વત્તિ] કરે છે.
ટીકાઃ- આ, ધર્મ અને અધર્મના ઉદાસીનપણાની બાબતમાં હતુ કહેવામાં આવ્યો છે.
ખરેખર (નિશ્ચયથી) ધર્મ જીવ-પુદ્ગલોને કદી ગતિહેતુ થતો નથી, અધર્મ કદી સ્થિતિહેતુ થતો નથી; કારણ કે તેઓ પરને ગતિસ્થિતિના જો મુખ્ય હેતુ (નિશ્ચયહેતુ) થાય, તો જેમને ગતિ હોય તેમને ગતિ જ રહેવી જોઇએ, સ્થિતિ ન થવી જોઇએ, અને જેમને સ્થિતિ હોય તેમને સ્થિતિ જ રહેવી જોઈએ, ગતિ ન થવી જોઈએ. પરંતુ એકને જ (–તેના તે જ પદાર્થને) ગતિ અને સ્થિતિ થતી જોવામાં આવે છે; તેથી અનુમાન થઈ શકે છે કે તેઓ (ધર્મઅધર્મ) ગતિસ્થિતિના મુખ્ય હેતુ નથી, પરંતુ વ્યવહારનયસ્થાપિત (વ્યવહારનય વડે સ્થાપવામાં–કહેવામાં આવેલા ) ઉદાસીન હેતુ છે.
પ્રશ્ન- એ પ્રમાણે હોય તો ગતિસ્થિતિમાન પદાર્થોને ગતિસ્થિતિ કઈ રીતે થાય છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com