________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
मिव मत्स्यानां जीवपुद्गलानामाश्रयकारणमात्रत्वेनोदासीन एवासौ गतेः प्रसरो भवति। अपि च यथा गतिपूर्वस्थितिपरिणतस्तुङ्गोऽश्ववारस्य स्थितिपरिणामस्य हेतुकर्तावलोक्यते न तथाऽधर्मः। स खलु निष्क्रियत्वात् न कदाचिदपि गतिपूर्वस्थितिपरिणाममेवापद्यते। कुतोऽस्य सहस्थायित्वेन परेषां गतिपूर्वस्थितिपरिणामस्य हेतुकर्तृत्वम्। किं तु पृथिवीवत्तुरङ्गस्य जीवपुद्गलानामाश्रय-कारणमात्रत्वेनोदासीन एवासौ गतिपूर्वस्थितेः प्रसरो भवतीति।।८८।।
विजदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि। ते सगपरिणामेहिं दु गमणं ठाणं च कुव्वंति।।८१।।
(ન જ હોય.) પરંતુ જેવી રીતે પાણી માછલાંઓને (ગતિપરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિનું ઉદાસીન જ પ્રસારનાર છે, તેવી રીતે ધર્મ જીવ-પુગલોને (ગતિપરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિનો ઉદાસીન જ પ્રસારનાર (અર્થાત્ ગતિપ્રસારનું ઉદાસીન જ નિમિત્ત) છે.
વળી ( અધર્માસ્તિકાય વિષે પણ એમ છે કે )-જેવી રીતે ગતિપૂર્વકસ્થિતિપરિણત અથ સવારના (ગતિપૂર્વક) સ્થિતિ પરિણામનો હેતુકર્તા જોવામાં આવે છે, તેવી રીતે અધર્મ (જીવપુગલોના ગતિપૂર્વક સ્થિતિ પરિણામનો હેતુકર્તા) નથી. તે (અધર્મ) ખરેખર નિષ્ક્રિય હોવાથી કયારેય ગતિપૂર્વક સ્થિતિ પરિણામને જ પામતો નથી; તો પછી તેને (પરના) *સહસ્થાયી તરીકે પરના ગતિપૂર્વક સ્થિતિપરિણામનું હેતુકર્તાપણું કયાંથી હોય? (ન જ હોય, પરંતુ જેવી રીતે પૃથ્વી અશ્વને (ગતિપૂર્વક સ્થિતિ પરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિપૂર્વક સ્થિતિની ઉદાસીન જ પ્રસારનાર છે, તેવી રીતે અધર્મ જીવ-પુદગલોને (ગતિપૂર્વક સ્થિતિ પરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિપૂર્વક સ્થિતિનો ઉદાસીન જ પ્રસારનાર (અર્થાત્ ગતિપૂર્વકસ્થિતિપ્રસારનું ઉદાસીન જ નિમિત્ત ) છે. ૮૮.
રે! જેમને ગતિ હોય છે, તેઓ જ વળી સ્થિર થાય છે; તે સર્વ નિજ પરિણામથી જ કરે ગતિસ્થિતિભાવને. ૮૯.
* સહસ્થાયી=સાથે સ્થિતિ (સ્થિરતા) કરનાર. [ અશ્વ સવારની સાથે સ્થિતિ કરે છે, તેથી અહીં
અશ્વને સવારના સહસ્થાયી તરીકે સવારની સ્થિતિ પરિણામનો હેતુકર્તા કહ્યો છે. અધર્માસ્તિકાય તો ગતિપૂર્વક સ્થિતિને પામનારાં જીવ-પુદગલોની સાથે સ્થિતિ કરતો નથી, પહેલેથી જ સ્થિત છે; આ રીતે તે સહસ્થાયી નહિ હોવાથી જીવ-પુદગલોના ગતિપૂર્વક સ્થિતિ પરિણામનો હેતુકર્તા નથી.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com