SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] [ ૧૧૭ व्यवह्नियंते, तथैव च बादरसूक्ष्मत्वपरिणामविकल्पैः षट्प्रकारतामापद्य त्रैलोक्यरूपेण निष्पद्य સ્થિતવંત રૂતિા તથા દિ-વાવરવાવરા:, બાવરા:, વાવ૨સૂક્ષ્મા:, સૂક્ષ્મવાવા:, સૂક્ષ્મા:, સૂક્ષ્મसूक्ष्मा इति। तत्र छिन्ना: स्वयं संधानासमर्थाः काष्ठपाषाणदयो बादरबादराः । छिन्ना: स्वयं संधानसमर्थाः क्षीरधृततैलतोयरसप्रभृतयो વાવા:। स्थूलोपलंभा अपि छेत्तुं भेत्तुमादातुमशक्याः छायातपतमोज्योत्स्त्रादयो बादरसूक्ष्माः । सूक्ष्मत्वेऽपि स्थूलोपलंभा: स्पर्शरसगंधशब्दाः सूक्ष्म - बादराः । सूक्ष्मत्वेऽपि हि करणानुपलभ्याः कर्मवर्गणादयः सूक्ष्माः। अत्यंतसूक्ष्माः कर्मवर्गणा-भ्योऽधो द्वयणुक स्कंधपर्यन्ताः सूक्ष्मसूक्ष्मा इति ।। ७६ ।। પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू । सो सस्सदो असो एक्को अविभागी मुत्तिभवो ।। ७७ ।। લીધે પુદ્દગલોથી અનન્ય હોવાથી વ્યવહારે ‘ પુદ્દગલો' છે, તેમ જ (તેઓ ) બાદરત્વ ને સૂક્ષ્મત્વરૂપ પરિણામોના ભેદો વડે છ પ્રકારોને પામીને ત્રણ લોકરૂપે થઈને રહ્યા છે. તે છ પ્રકારના સ્કંધો આ પ્રમાણે છેઃ- (૧) બાદરબાદ; ( ૨ ) બાદર; (૩) બાદરસૂક્ષ્મ; (૪) સૂક્ષ્મબાદર; (૫) સૂક્ષ્મ; (૬) સૂક્ષ્મસૂક્ષ્મ. ત્યાં, (૧) કાષ્ઠપાષાણાદિક (સ્કંધો) કે જે છેદાતા થકા સ્વયં સંધાઈ શકતા નથી તે (ઘન પદાર્થો ) ‘બાદરબાદર ’ છે; (૨) દૂધ, ઘી, તેલ, જળ, ૨સ વગેરે ( સ્કંધો ) કે જે છેદાતા થકા સ્વયં જોડાઈ જાય છે તે (પ્રવાહી પદાર્થો) ‘બાદર ’ છે; (૩) છાંયો, તડકો, અંધકાર, ચાંદની વગરે (સ્કંધો ) કે જે સ્થૂલ જણાતા હોવા છતાં છેદી, ભેદી કે (હસ્તાદિ વડે) ગ્રહી શકાતા નથી તે ‘બાદરસૂક્ષ્મ ’ છે; (૪) સ્પર્શ-રસ-ગંધ-શબ્દ કે જે સૂક્ષ્મ હોવા છતાં સ્કૂલ જણાય છે (અર્થાત્ ચક્ષુ સિવાયની ચાર ઇંદ્રિયોના વિષયભૂત સ્કંધો કે જે આંખથી નહિ દેખાતા હોવા છતાં સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સૂંધી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે) તે ‘સૂક્ષ્મબાદર’ છે; (૫) કર્મવર્ગણા વગેરે ( સ્કંધો ) કે જેમને સૂક્ષ્મપણું છે તેમ જ જેઓ ઈંદ્રિયોથી ન જણાય એવા છે તે ‘સૂક્ષ્મ ’ છે; (૬) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત દ્વિઅણુક-સ્કંધ સુધીના (સ્કંધો ) કે જે અત્યંત સૂક્ષ્મ છે તે ‘સૂક્ષ્મસૂક્ષ્મ ’ છે. ૭૬. જે અંશ અંતિમ સ્કંધોનો, ૫૨માણુ જાણો તેહને; તે એકને અવિભાગ, શાશ્વત, મૂર્તિપ્રભવ, અશબ્દ છે. ૭૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008296
Book TitlePunchaastikaai Sangrah
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy