________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ છે. જેમ આ શાસ્ત્રના મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે. તેમણે સમયસારની તથા પ્રવચનસારની ટીકા પણ લખી છે અને તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ધયુપાય આદિ સ્વતંત્ર ગ્રંથો પણ રચ્યા છે. તેમની ટીકાઓ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની લખાયેલી નથી. તેમની ટીકાઓ વાંચનારને તેમની અધ્યાત્મરસિકતા, આત્માનુભવ, પ્રખર વિદ્વત્તા, વસ્તુસ્વરૂપને ન્યાયથી સિદ્ધ કરવાની અસાધારણ શક્તિ, જિનશાસનનું અત્યંત ઊંડું જ્ઞાન, નિશ્ચય-વ્યવહારનું સંધિબદ્ધ નિરૂપણ કરવાની વિરલ શક્તિ અને ઉત્તમ કાવ્યશક્તિનો પૂરો ખ્યાલ આવી જાય છે. અતિ સંક્ષેપમાં ગંભીર રહસ્યો ગોઠવી દેવાની તેમની શક્તિ વિદ્વાનોને આશ્ચર્યચક્તિ કરે છે. તેમની દૈવી ટીકાઓ શ્રુતકેવળીનાં વચનો જેવી છે. જેમ મૂળ શાસ્ત્રકારનાં શાસ્ત્રો અનુભવ-યુક્તિ આદિ સમસ્ત સમૃદ્ધિથી સમૃદ્ધ છે તેમ ટીકાકારની ટીકાઓ પણ તે તે સર્વ સમૃદ્ધિથી વિભૂષિત છે. શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદવે આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદવે જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને તેમના ગણધર જેવું કામ કર્યું છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ રચેલા કાવ્યો પણ અધ્યાત્મરસથી અને આત્મ-અનુભવની મસ્તીથી ભરપૂર છે. શ્રી સમયસારની ટીકામાં આવતાં કાવ્યોએ (-કળશોએ) શ્રી પદ્મપ્રભદેવ જેવા સમર્થ મુનિવરો પર ઊંડી છાપ પાડી છે અને આજે પણ તે તત્ત્વજ્ઞાનથી અને અધ્યાત્મરસથી ભરેલા મધુર કળશો અધ્યાત્મરસિકોના હૃદયના તારને ઝણઝણાવી મૂકે છે. અધ્યાત્મકવિ તરીકે શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનું સ્થાન અદ્વિતીય
પંચાસ્તિકાયસંગ્રહમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે ૧૭૩ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના પર શ્રી અમૃતચંદ્રાચાર્યદવે સમયવ્યાખ્યા નામની અને શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. શ્રી પાંડે હેમરાજજીએ સમયવ્યાખ્યાનો ભાવાર્થ (પ્રાચીન) હિંદીમાં લખો છે અને તે ભાવાર્થનું નામ બાલાવબોધભાષાટીકા રાખ્યું છે. વિ. સં. ૧૯૭ર માં શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત હિંદી પંચાસ્તિકાયમાં મૂળ ગાથાઓ, બંને સંસ્કૃત ટીકાઓ અને શ્રી હેમરાજજીકૃત બાલાવબોધભાષાટીકા (શ્રી પન્નાલાલજી બાકલીવાલ દ્વારા પ્રચલિત હિંદી ભાષામાં પરિવર્તિત કરાયેલા સ્વરૂપે) પ્રગટ થયેલ છે. હવે પ્રકાશન પામતા આ ગુજરાતી પંચાસ્તિકાયસંગ્રહમાં મૂળ ગાથાઓ, તેનો ગુજરાતી પદ્યાનુવાદ, સંસ્કૃત સમયવ્યાખ્યા ટીકા અને તે ગાથા-ટીકાનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવેલ છે. જ્યાં વિશેષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com