________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
णेरइयतिरियमणुआ देवा इदि णामसंजुदा पयडी। कुव्वंति सदो णासं असदो भावस्स उप्पादं ।। ५५ ।।
नारकतिर्यमनुष्या देवा इति नामसंयुताः प्रकृतयः। कुर्वन्ति सतो नाशमसतो भावस्योत्पादम्।।५५।।
जीवस्य सदसद्भावोच्छित्त्युत्पत्तिनिमित्तोपाधिप्रतिपादनमेतत्।
ભાવાર્થ - પ૩ મી ગાથામાં જીવને સાદિ-સાતપણું તેમ જ અનાદિ-અનંતપણું કહેવામાં આવ્યું. ત્યાં પ્રશ્ન સંભવે છે કે-સાદિ-સાતપણું અને અનાદિ-અનંતપણે પરસ્પર વિરુદ્ધ છે; પરસ્પર વિરુદ્ધ ભાવો એકીસાથે જીવને કેમ ઘટે? તેનું સમાધાન આ પ્રમાણે છે: જીવ દ્રવ્યપર્યાયાત્મક વસ્તુ છે. તેને સાદિ-સાતપણું અને અનાદિ-અનંતપણે બન્ને એક જ અપેક્ષાએ કહેવામાં આવ્યાં નથી, ભિન્ન ભિન્ન અપેક્ષાએ કહેવામાં આવ્યાં છે; સાદિ-સાતપણું કહેવામાં આવ્યું છે તે પર્યાય-અપેક્ષાએ છે અને અનાદિ-અનંતપણું દ્રવ્ય-અપેક્ષાએ છે. માટે એ રીતે જીવને સાદિ-સાતપણું તેમ જ અનાદિ-અનંતપણું એકીસાથે બરાબર ઘટે છે.
(અહીં જોકે જીવને અનાદિ-અનંત તેમ જ સાદિ-સાંત કહેવામાં આવ્યો તોપણ તાત્પર્ય એમ ગ્રહવું કે પર્યાયાર્થિકનયના વિષયભૂત સાદિ-સાત જીવનો આશ્રય કરવાયોગ્ય નથી પરંતુ દ્રવ્યાર્થિકનયના વિષયભૂત એવું જે અનાદિ-અનંત, ટંકોત્કીર્ણજ્ઞાયકસ્વભાવી, નિર્વિકાર, નિત્યાનંદસ્વરૂપ જીવદ્રવ્ય તેનો જ આશ્રય કરવાયોગ્ય છે.) ૫૪.
તિર્યંચ-નાક-દેવ-માનવ નામની છે પ્રકૃતિ જે, તે વ્યય કરે સત્ ભાવનો, ઉત્પાદ અસત તણો કરે. ૫૫.
અન્વયાર્થઃ- [વારવતિર્યમનુષ્યતેવા: ] નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ [ તિ નામસંયુતા:] એવાં નામવાળી [9તય:] (નામકર્મની) પ્રકૃતિઓ [સત: નાશ ] સત્ ભાવનો નાશ અને [બત: માવસ્ય ઉત્પા” ] અસત્ ભાવનો ઉત્પાદ [દુર્વત્તિ ] કરે છે.
ટીકા:- જીવને સત્ ભાવના ઉચ્છેદ અને અસત્ ભાવના ઉત્પાદમાં નિમિત્તભૂત ઉપાધિનું આ પ્રતિપાદન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com