________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૬૫
सिद्धानां जीवत्वदेहमात्रत्वव्यवस्थेयम्।
सिद्धानां हिं द्रव्यप्राणधारणात्मको मुख्यत्वेन जीवस्वभावो नास्ति। न च जीवस्वभावस्य सर्वथाभावोऽस्ति भावप्राणधारणात्मकस्य जीवस्वभावस्य मुख्यत्वेन सद्भावात्। न च तेषां शरीरेण सह नीरक्षीरयोरिवैक्येन वृत्तिः, यतस्ते तत्संपर्कहेतुभूतकषाययोगविप्रयोगादतीतानंतरशरीरमात्रावगाहपरिणतत्वेऽप्यत्यंतभिन्नदेहाः। वाचां गोचरमतीतश्च तन्महिमा, यतस्ते लौकिकप्राणधारणमंतरेण शरीरसंबंधमंतरेण च परिप्राप्तनिरुपाधिस्वरूपाः सततं प्रतપંતતિાારૂા
ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्जं ण तेण सो सिद्धो। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि।।३६।।
ટીકાઃ- આ, સિદ્ધોનાં (સિદ્ધભગવંતોનાં) જીવત્વ અને દેહપ્રમાણત્વની વ્યવસ્થા છે.
સિદ્ધોને ખરેખર દ્રવ્યપ્રાણના ધારણસ્વરૂપ જીવસ્વભાવ મુખ્યપણે નથી; (તેમને ) જીવસ્વભાવનો સર્વથા અભાવ પણ નથી, કારણ કે ભાવપ્રાણના ધારણસ્વરૂપ જીવસ્વભાવનો મુખ્યપણે સદ્દભાવ છે. વળી તેમને શરીરની સાથે, નીરક્ષીરની માફક, એકપણે વૃત્તિ નથી; કારણ કે શરીરસંયોગના હેતુભૂત કષાય અને યોગનો વિયોગ થયો હોવાથી તેઓ અતીત અનંતર શરીરપ્રમાણ અવગાહે પરિણત હોવા છતાં અત્યંત દેહરહિત છે. વળી વચનગોચરાતીત તેમનો મહિમા છે; કારણ કે લૌકિક પ્રાણના ધારણ વિના અને શરીરના સંબંધ વિના, સંપૂર્ણપણે પ્રાપ્ત કરેલા નિરુપાધિ સ્વરૂપ વડે તેઓ સતત પ્રતપે છે (-પ્રતાપવંત વર્તે છે ). ૩૫.
ઊપજે નહીં તો કારણે તે સિદ્ધ તેથી ન કાર્ય છે, ઉપજાવતા નથી કાંઈ પણ તેથી ન કારણ પણ ઠરે. ૩૬.
૧. વૃત્તિ = વર્તવું તે; યાતી. ૨. અતીત અનંતર = ભૂત કાળનું સૌથી છેલ્લે ચરમ. (સિદ્ધભગવંતોની અવગાહના ચરમશરીરપ્રમાણ
હોવાને લીધે તે છેલ્લા દેહની અપેક્ષા લઈને તેમને “દેહપ્રમાણપણું” કહી શકાતું હોવા છતાં, ખરેખર તેઓ અત્યંત દેહરહિત છે.) ૩. વચનગોચરાતીત = વચનગોચરપણાને અતિક્રમી ગયેલ; વચનવિષયાતીતઃ વચન-અગોચર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com