________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૪૮-૧૪૯ ]
[ ૫૭
તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી, તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી (ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ )–બધીયે કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.
ભાવાર્થ- હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કમાંધ થયો થકો તે હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી પકડાઈ જઈને પરાધીન થઈને દુઃખ ભોગવે છે, અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી; તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી બંધમાં પડી પરાધીન થઈને સંસારનાં દુઃખ ભોગવે છે, અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કદી કરતો નથી.
સમયસાર ગાથા ૧૪૮-૧૪૯: મથાળું હવે, બન્ને કર્મ નિષેધવાયોગ્ય છે એ વાતનું ભગવાન કુંદકુંદાચાર્ય પોતે જ દષ્ટાંતથી સમર્થન કરે છે:
* ગાથા ૧૪૮-૧૪૯: ટીકા ઉપરનું પ્રવચન *
જેમ કોઈ કુશળ વન-સ્તી પોતાના બંધને માટે સમીપ આવતી સુંદર મુખવાળી મનોરમ કે અમનોરમ હાથણીરૂપી કૂટણીને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી..... જુઓ, આ દષ્ટાંત છે.
તેવી રીતે આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી (ઉદયમાં આવતી) મનોરમ કે અમનોરમ (શુભ કે અશુભ )-બધીયે કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.'
આત્મા અરાગી જ્ઞાની થયો થકો”—એમ ભાષા લીધી છે. મતલબ કે રાગરહિત વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યમય નિજ આત્મસ્વરૂપની જેને દૃષ્ટિ થઈ છે તે અરાગી જ્ઞાની છે. ધર્મી જીવ અરાગી હોય છે. જેને રાગની રુચિ હોય તે ધર્મી ન હોય. જેને દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિના રાગની કે ગુણ-ગુણી ભેદના વિકલ્પની રુચિ છે એ તો અજ્ઞાની છે.
પ્રશ્ન- અરાગી તો ૧૧ મે, ૧૨ મે ગુણસ્થાને થાય છે?
ઉત્તર- હા, પણ એ વાત અહીં નથી. અહીં તો સમ્યગ્દર્શન થતાં જ સર્વ રાગની રુચિ છૂટી જાય છે અને અરાગી જ્ઞાની કહ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com