SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ ભાઈ ! જે રાગથી ધર્મ થવાનું માને કે મનાવે એ તો પ્રત્યક્ષ મિથ્યાષ્ટિનું લક્ષણ છે. લ્યો, આવી ઝીણી વાત છે. ત્યારે કોઈ એમ કહે છે કે આપણે અસંયમીઓએ સંયમીઓની ટીકા ન કરવી કેમકે દ્રવ્યલિંગી છે કે ભાવલિંગી એના જવાબદાર તો એ પોતે છે; એમાં આપણે શું? ભાઈ ! અહીં કોઈની ટીકાનો સવાલ જ નથી. અહીં તો તત્ત્વના સ્વરૂપની વાત છે; કે જે કોઈ દયા, દાન, વ્રત, તપથી (-રાગથી) ધર્મ થાય એવી (આગમવિરુદ્ધ ) પ્રરૂપણા કરે એ પ્રગટ મિથ્યાષ્ટિ છે. આ તો વીતરાગમાર્ગ છે. એમાં રાગથી ધર્મ થાય એવી પ્રરૂપણા આગમની યથાર્થ દષ્ટિથી તદ્દ વિરુદ્ધ છે. આવું તત્ત્વસ્વરૂપ જેમ છે તેમ પોતાના હિત માટે જાણવું જોઈએ. આમાં પરનિંદાનો સવાલ જ કયાં છે? શું થાય, ભાઈ ! એક વખત જાહેરમાં કહ્યું હતું કે માર્ગ તો આ છે બાપુ! સત્ય વાતની પ્રસિદ્ધિ કરતાં કોઈને દુઃખ લાગે તો ક્ષમા કરજો, ભાઈ ! રાગ જે પર તરફના વલણવાળી દશા છે એને ધર્મ માને અને મનાવે એ તો રાગી મિથ્યાષ્ટિનું લક્ષણ છે અને જેને સમસ્ત રાગની રુચિ છૂટી ગઈ છે એવો આત્મદષ્ટિવંત પુરુષ અરાગી જ્ઞાની છે. સમકિતી ધર્મી જીવ અરાગી છે. અહા! સમકિતીને અસ્થિરતાનો રાગ, આસક્તિ છે; પણ એને રાગની રુચિ નથી, રાગથી એકત્વબુદ્ધિ નથી. અહો! આ ભાષા તે કાંઈ ભાષા છે!! અદભુત વાત છે. “આત્મા અરાગી જ્ઞાની થયો થકો”—એમ કહ્યું એનો ભાવ એ છે કે આત્મા સ્વયં પોતાના પુરુષાર્થના બળે જ્ઞાની થયો છે, પણ કોઈ દર્શનમોહ કર્મ માર્ગ આપ્યો તો જ્ઞાની થયો છે એમ નથી. અહાહા....! કેટલી સ્પષ્ટતા છે? કેટલાક લોકો કહે છે કે-કર્મને લઈને આ થાય ને તે થાય; એમ કે કર્મને લઈને બિચારા જીવો ભૂલ કરે છે. પણ બાપુ! તને ખબર નથી. અપરાધ તું પોતે કરે અને નાખે કર્મને માથે એ તો અનીતિ છે. આવી અનીતિ વીતરાગ શાસનમાં કેમ ચાલે? (ન ચાલે). અહીં કહે છે કે ધર્મી-જ્ઞાની જીવ અરાગી છે. જુઓ આ ધર્માની ઓળખાણ. અંદર પોતે પોતાના શુદ્ધ આત્માને અનુભવે છે, સચેત છે એ તેને ઓળખવાનું અંતરલક્ષણ છે અને બહારમાં રાગની રુચિનો અત્યંત અભાવ હોવાથી રાગથી ધર્મ માનતો નથી, મનાવતો નથી કે કોઈ અન્ય માનનારને અનુમોદતો નથી એ તેને ઓળખવાનું બાહ્ય લક્ષણ છે. ભાઈ ! આ કોઈ વ્યક્તિની વાત નથી, આ તો અનાદિ પરંપરાથી ચાલ્યા આવતા વીતરાગમાર્ગનું કથન છે. રાગમાત્ર પર તરફના લક્ષ-વલણવાળી વસ્તુ છે અને તેનો શુદ્ધ ચૈતન્યમય સ્વસ્વરૂપ અને સ્વસ્વરૂપ તરફના લક્ષ-વલણવાળી પરિણતિમાં કાંઈ સંબંધ નથી. આવી ઝીણી વાત છે. કહે છે-આત્મા અરાગી જ્ઞાની થયો થકો પોતાના બંધને માટે સમીપ આવતી–ઉદયમાં આવતી મનોરમ કે અમનોરમ–શુભ કે અશુભ કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણે Please inform us of any errors on [email protected]
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy