________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૮૬
कथं शुद्धात्मोपलम्भादेव संवर इति चेत्
सुद्धं तु बियाणंतो सुद्धं चेवप्पयं लहदि जीवो। जाणंतो दु असुद्धं असुद्धमेवप्पयं लहदि।। १८६ ।।
शुद्धं तु विजानन शुद्धं चैवात्मानं लभते जीवः। जानंस्त्वशुद्धमशुद्धमेवात्मानं लभते।। १८६ ।।
- હવે પૂછે છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર કઈ રીતે થાય છે? તેનો ઉત્તર કહે
છેઃ
જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે; અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ૧૮૬.
ગાથાર્થઃ- [ શુદ્ધ તુ] શુદ્ધ આત્માને [ વિનાનન] જાણતો-અનુભવતો [ નીવડ] જીવ [ શુદ્ધ ઘ વ ગાત્માન] શુદ્ધ આત્માને જ [ નમતે ] પામે છે [7] અને [અશુદ્ધ+] અશુદ્ધ [ ગાત્માને ] આત્માને [ ની ] જાણતો-અનુભવતો જીવ [ શુદ્ધમ્ gવ ] અશુદ્ધ આત્માને જ [ તમને] પામે છે.
ટીકાઃ- જે સદાય અચ્છિન્નધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, “જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે' એ ન્યાયે નવાં કર્મના આસવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ (પરંપરા) તેનો નિરોધ થવાથી, શુદ્ધ આત્માને જ પામે છે; અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે, “અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે” એ ન્યાયે નવાં કર્મના આસ્રવણનું નિમિત્ત જે રાગદ્વેષમોહની સંતતિ તેનો નિરોધ નહિ થવાથી, અશુદ્ધ આત્માને જ પામે છે. માટે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી ( અનુભવથી) જ સંવર થાય છે.
ભાવાર્થ:- જે જીવ અખંડધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાગ્નવો રોકાય છે તેથી તે શુદ્ધ આત્માને પામે છે; અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષમોહરૂપી ભાવાસવો રોકાતા નથી તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે. આ રીતે સિદ્ધ થયું કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી (અનુભવથી) જ સંવર થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com