________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ]
[ ૩૩૯
इति आस्रवो निष्क्रान्तः।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ आस्रवप्ररूपक: વતુઠ્ઠ:
ભાવાર્થ:- જે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને શુદ્ધનયના આલંબન વડે તેમાં એકાગ્ર થતો જાય છે તે પુરુષને, તત્કાળ સર્વ રાગાદિક આસ્રવભાવોનો સર્વથા અભાવ થઇને, સર્વ અતીત, અનાગત ને વર્તમાન પદાર્થોને જાણનારું નિશ્ચળ, અતુલ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન સર્વથી મહાન છે, તેના સમાન અન્ય કોઈ નથી. ૧૨૪.
ટીકા - આ રીતે આસ્રવ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થ- આસ્રવનો સ્વાંગ રંગભૂમિમાં આવ્યો હતો તેને જ્ઞાને તેના યથાર્થ સ્વરૂપે જાણી લીધો તેથી તે બહાર નીકળી ગયો.
યોગ કપાય મિથ્યાત્વ અસંયમ આસ્રવ દ્રવ્યત આગમ ગાયે, રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે; જે મુનિરાજ કરે ઈનિ પાલ સુરિદ્ધિ સમાજ લય સિવ થાયે, કાય નવાય નમું ચિત લાય કહૂં જય પાલ લહૂં મન ભાય.
આમ શ્રી સમયસારની (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રીસમયસાર પરમાગમની) શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આસવનો પ્રરૂપક ચોથો અંક સમાપ્ત થયો.
સમયસાર ગાથા ૧૭૯-૧૦૦: મથાળુ હવે આ જ અર્થને દૃષ્ટાંત દ્વારા દઢ કરે છે:
જુઓ, ગાથા ૧૮૦ માં “ગયપરિરી'-નયપરિહીના શબ્દ મૂકીને આચાર્ય ભગવાને શુદ્ધનય એ જ વાસ્તવિક–ખરેખર નય છે, જ્યારે વ્યવહારનય તે ઉપચરિત (કથન કરતો) હોવાથી વ્યવહાર છે એમ કહ્યું છે.
શુદ્ધ ચૈતન્યપિંડ પ્રભુ આત્માનો અનુભવ થવો દષ્ટિ થવી એ શુદ્ધનય છે, અને એને છોડી દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવમાં એકતાબુદ્ધિ થવી એ “નયપરિહીના” એટલે નયથી પરિભ્રષ્ટ છે કેમકે તે શુદ્ધનયથી પરિભ્રષ્ટ થઈ ગયો છે. બીજી રીતે કહીએ તો આનંદના નાથ ભગવાન જ્ઞાયકની બેઠકમાંથી ખસી રાગની બેઠકમાં ગયો તે “નયપરિહાણા' એટલે વાસ્તવિક નયથી પરિભ્રષ્ટ થયો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com