________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬ ]
પ્રવચન રત્નાકર ભાગ-૬
(વસંતતિનવા) प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः। ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्धद्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम्।। १२१ ।।
જ [વર્નયત્તિ] અભ્યાસ કરે છે [ તે] તેઓ, [સતi] નિરંતર [RI[વિમુમનસ: ભવન્ત:] રાગાદિથી રહિત ચિતવાળા વર્તતા થકા, [વશ્વવિધુરં સમયસ્થ સારમ્] બંધરહિત એવા સમયના સારને (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને ) [ પશ્યન્તિ ] દેખે છે-અનુભવે છે.
ભાવાર્થ- અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. “હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું”—એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ.
શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. ૧૨૦.
હવે કહે છે કે જેઓ શુદ્ધનયથી શ્રુત થાય તેઓ કર્મ બાંધે છે:
શ્લોકાર્થઃ- [ રૂદ] જગતમાં [૨] જેઓ [ શુદ્ધનયત: પ્રવ્રુત્ય] શુદ્ધનયથી ટ્યુત થઈને [પુન: વ તુ] ફરીને [ રાવિયોગાન્] રાગાદિના સંબંધને [૩યાન્તિ] પામે છે [તે] એવા જીવો, [ વિમુવીધા:] જેમણે જ્ઞાનને છોડયું છે એવા થયા થકા, [ પૂર્વવદ્ધદ્રવ્યોક્સવે.] પૂર્વબદ્ધ દ્રવ્યાગ્નવો વડ [ર્મવશ્વન] કર્મબંધને [ વિશ્વતિ] ધારણ કરે છે (-કર્મોને બાંધે છે) – [ કૃત–વિવિત્ર-વિત્પ–ની] કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે (અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે).
ભાવાર્થ:- શુદ્ધનયથી ચુત થવું એટલે હું શુદ્ધ છું” એવા પરિણમનથી છૂટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદષ્ટિ બની જવું તે. એમ થતાં, જીવને મિથ્યાત્વ સંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાન્સવો કર્મબંધનાં કારણે થાય છે અને તેથી અનેક પ્રકારનાં કર્મ બંધાય છે. આ રીતે અહીં શુદ્ધનયથી શ્રુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યકત્વથી) શ્રુત થવું એમ કરવો. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્ શુદ્ધનયથી ટ્યુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી શ્રુત થવું એવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com