SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૭૨ ] [ ૨૮૫ (સુખદાયક) છે. અરે ! લોકોએ વર્તમાનમાં પોતાની મતિ-કલ્પનાથી શાસ્ત્રો લખી વીતરાગના નામે ચઢાવીને વીતરાગ માર્ગને વીંખી નાખ્યો છે! * ગાથા ૧૭૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગ-દ્વેષ-મોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસવ જ છે.' અહીં એમ કહે છે કે જ્ઞાનીને અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહનો અભાવ છે. હું રાગ કરું અને રાગ મારું કર્તવ્ય છે એવી બુદ્ધિ જ્ઞાનીને નથી. હું તો નિમિત્ત, રાગ અને અલ્પજ્ઞતાથી રહિત પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવી જ્ઞાનસ્વરૂપ પરમાત્મા છું-એવી જ્ઞાનીને દષ્ટિ હોવાથી તેને અજ્ઞાનપૂર્વકના રાગાદિનો અભાવ છે અને તે અપેક્ષાએ તે નિરાફ્સવ જ છે. જે કર્તા થઈને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્યભાવને કરે છે એની તો દષ્ટિ પરની ક્રિયા અને રાગ ઉપર છે. તેથી એ તો મિથ્યાષ્ટિ જ છે. જેની દૃષ્ટિ ભગવાન આત્મા પર નથી એ તો મિથ્યાત્વ સહિત રાગ-દ્વેષ-મોહને જ કરે છે. પ્રશ્ન- બુદ્ધિપૂર્વકના ( રૂચિ પૂર્વકના) રાગ-દ્વેષ-મોહનો નાશ થયા પછી શું કરવું? (વ્રત, તપ કરવા કે નહિ?) ઉત્તર- તેણે પછી સ્વરૂપમાં અંદર સ્થિર થવાનો પુરુષાર્થ કરવો. અંદર સ્થિર થવું એ જ કરવું છે. (વ્રતાદિના વિકલ્પ કરવા–એ કરવાની તો વાત છે જ નહિ કેમકે એ તો રાગ છે.) જુઓ, એ જ વાત કરે છે પરંતુ જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખી, જાણી અને આચરી શકતો નથી-જઘન્ય ભાવે દેખી, જાણી અને આચરી શકે છે; તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હુજુ અબુદ્ધિપૂર્વકનો કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્રમોહ સંબંધી રાગ-દ્વેષ ) વિધમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું.' જુઓ, પછી શું કરવું એનો ખુલાસો કર્યો. ભાઈ ! જીવને પ્રથમ ભૂમિકા (સમ્યગ્દર્શન) પ્રગટ થયા પછી શું કરવું એની શંકા રહેતી જ નથી, કેમકે તેના જ્ઞાનમાં બધો ખુલાસો થઈ જ જાય છે. ક્ષાયિક સમકિતીને પણ જઘન્ય પરિણમન છે ત્યાં સુધી ચારિત્રમોહનો રાગ છે અને એટલો બંધ પણ છે. માટે આ ઉપદેશ છે કે કેવળજ્ઞાન થતાં સુધી જ્ઞાનમાં જ રમણતા કરવી, જ્ઞાનને જ દેખવું, જાણવું અને આચરવું. વ્યવહારરત્નત્રયના રાગનું આચરણ કરવું એમ વાત નથી. આત્માનું જ આચરણ કરવું એમ વાત છે. હવે કહે છે Please inform us of any errors on [email protected]
SR No.008287
Book TitlePravachana Ratnakar 06
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages461
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy