________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૭૨
एवं सति कथं ज्ञानी निरास्रव इति चेत्
दंसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण। णाणी तेण दु बज्झदि पोग्गलकम्मेण विविहेण।। १७२।।
दर्शनज्ञानचारित्रं यत्परिणमते जघन्यभावेन। ज्ञानी तेन तु बध्यते पुद्गलकर्मणा विविधेन।। १७२।।
હવે વળી ફરી પૂછે છે કે જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે) તો પછી જ્ઞાની નિરાન્સવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે:
ચારિત્ર દર્શન, જ્ઞાન જેથી જઘન્ય ભાવે પરિણમે, તેથી જ જ્ઞાની વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૭૨.
ગાથાર્થઃ- [ ] કારણ કે [વર્ગનજ્ઞાનવારિત્ર ] દર્શન-જ્ઞાન-ચારિત્ર [ન જમાવેન] જઘન્ય ભાવે [ પરિણમતે ] પરિણમે છે [ તેન તુ] તેથી [ જ્ઞાની] જ્ઞાની [વિવિધેન ] અનેક પ્રકારના [ પુનર્મળT ] પુદ્ગલકર્મથી [ વધ્યતે] બંધાય છે.
ટીકા- જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક (ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આગ્નવભાવોનો તેને અભાવ હોવાથી, નિરાગ્નવ જ છે. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે –તે જ્ઞાની
જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવા, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થકો જઘન્ય ભાવે જ જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડે (અર્થાત્ જઘન્ય ભાવ અન્ય રીતે નહિ બનતો હોવાને લીધે) જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્દભાવ હોવાથી, પુદ્ગલકર્મનો બંધ થાય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય. ત્યારથી સાક્ષાત્ જ્ઞાની થયો થકો (આત્મા) સર્વથા નિરાસ્રવ જ હોય છે.
ભાવાર્થ:- જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસ્રવ જ છે. પરંતુ જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સવોત્કૃષ્ટ ભાવે દેખી, જાણી અને આચરી શકતો નથી-જઘન્ય ભાવે દેખી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com