________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ એમ નથી, ભાઈ ! પુણ-પાપભાવની રુચિથી ખસી ગયો એને અહીં નિવર્યો કહે છે. અભિપ્રાયમાં જે રાગ સાથે એક્તા હતી તે તૂટી ગઈ તેને નિવૃત્ત થયો કહે છે અને તે ભેદજ્ઞાન છે. અભિપ્રાયમાં જે આસ્રવોથી નિવર્તતો નથી તેને ભેદજ્ઞાન જ નથી.
બીલકુલ રાગભાવ ન હોય તો ભેદજ્ઞાન છે એમ અહીં વાત નથી. રાગની ચિથી ખસીને ચૈતન્યસ્વભાવની ચિમાં આવે છે તેનું નામ સમ્યગ્દર્શન છે. પુણ્યભાવ આદિ હોય, પણ ધર્મીને એની રુચિ છૂટી ગઈ હોય છે. દષ્ટિની અપેક્ષાથી અહીં વાત છે.
વળી કોઈ એમ કહે કે પહેલાં ક્રોધાદિથી નિવર્સે અને પછી ભેદજ્ઞાન થાય; તો એ વાત પણ યથાર્થ નથી. જે કાળે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટે, નિર્મળ ભેદજ્ઞાન પ્રગટે તે જ કાળે ક્રોધાદિની નિવૃત્તિ થાય છે. બન્નેનો સમકાળ છે, પહેલાં-પછી છે જ નહિ. ભાઈ ! અંતર્દષ્ટિ થયા વિના ભેદજ્ઞાનના અભાવમાં અનંતકાળમાં જીવે ઘણું બધું કર્યું વ્રત કર્યા, તપ કર્યા અરે ! હજારો રાણીઓને છોડીને વનવાસી દિગંબર મુનિ પણ થયો. મહાવ્રત પાળ્યાં અને આકરાં તપ કર્યા. પરંતુ એકડા વિનાના મીંડાની જેમ બધું નિરર્થક ગયું. રાગનાં નિમિત્ત મટાડયાં, પણ રાગની રુચિ ન મટી એટલે સંસાર મટયો નહિ, લેશમાત્ર પણ સુખ ન થયું. છહુઢાલામાં આવે છે ને કે
મુનિવ્રતધાર અનંતવાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.” ભાઈ ! અંતર્મુખદષ્ટિ થયા વિના રાગની રુચિ છૂટતી નથી અને જ્યાં રાગની રુચિ હોય છે ત્યાં અંતર્દષ્ટિ-ભેદજ્ઞાન હોતું નથી. માટે ભેદજ્ઞાન અને આસ્રવોથી નિવર્તન-એ બેનો સમકાળ છે એમ યથાર્થ જાણવું. (કળશટીકામાં કળશ ૨૯ માં પણ આ વાત લીધી છે.)
માટે ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌગલિક કર્મનો બંધ તેનો નિરોધ થાય છે.” ક્રોધ કહેતાં અંદર પૂર્ણાનંદનો નાથ જે જ્ઞાયકસ્વભાવી પ્રભુ આત્મા છે તેથી વિમુખ થઈને રાગની રુચિ કરે તેને જ્ઞાયક ચતો નથી માટે તેને ભગવાન આત્મા પ્રત્યે ક્રોધ છે. કહ્યું છે ને કે “દ્વિષ અરોચક ભાવ”. નિજ સ્વરૂપની અરુચિ તે ક્રોધ છે. આ ક્રોધ આદિ ઉપરથી જેને દષ્ટિ ખસી નહિ અને સ્વભાવની દષ્ટિ કરી નહિ તે આસ્રવોથી નિવર્યો નથી. પરંતુ જ્યાં આસ્રવોથી દષ્ટિ ખસેડી નિજ ચૈતન્યસ્વરૂપમાં અભેદ થઈ પરિણમ્યો કે તરત જ તેને અંતíન થયું, સમ્યજ્ઞાન થયું. આ રાગથી ભિન્ન પડેલું જે જ્ઞાન તે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થાય છે. પહેલાં જે એત્વવિભક્તની વાત કરી હતી એ શૈલીથી અહીં વાત છે. અહાહા! સ્વભાવમાં એકત્વ અને રાગથી વિભક્ત થાય તે ભેદજ્ઞાન છે. અને તેનાથી બંધનો નિરોધ થાય છે, બંધન અટકી જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com