________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭ર ]
[ ૪૯ રાગ અને સ્વભાવનું જે ભેદજ્ઞાન થયું તે જ્ઞાન આસ્રવોથી નિવર્તે છે એટલે સર્વથા રાગ મટી જાય છે એમ અહીં અર્થ નથી. અભિપ્રાયમાં જે પુણ્ય-પાપનાં રસ-રુચિ હતાં તે મટી જાય છે અને તેને જ્ઞાન આસવોથી નિવ– એમ કહે છે. તે જ્ઞાનથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ અટકી જાય છે.
હવે આ વાત વધારે સ્પષ્ટ કરે છે.
વળી જે આ આત્મા અને આગ્નવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? દલીલથી વિષય વધારે સ્પષ્ટ કરે છે. કહે છે-આ પુણ્ય-પાપના ભાવ અને ભગવાન આત્મા એ બન્નેનું જે ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન?
જો અજ્ઞાન છે તો આત્મા અને આસવોના અભેદજ્ઞાનથી તેની કંઈ વિશેષતા ન થઈ.” જુઓ! આત્મા અને આસવોનું અભેદજ્ઞાન-એકપણાનું જ્ઞાન તો અજ્ઞાન છે, અને તેનાથી બંધ છે. ધે જો આત્મા અને આસવો ભિન્ન છે એવું જે ભેદજ્ઞાન તે પણ અજ્ઞાન હેય તો બંનેમાં કંઈ ફરક ન પડ્યો. જ ભેદજ્ઞાન પણ અજ્ઞાન હોય તો આત્મા અને આગ્નવોના એકપણાના જ્ઞાનથી તેમાં કંઈ વિશેષતા ન થઈ. આત્માની રાગ સાથે અનાદિથી એક્તા છે અને એનાથી (ાગથી) જ્ઞાન જુદું ન પડ્યું તો તે જ્ઞાન જ નથી, ભેદજ્ઞાન જ નથી.
અને જો જ્ઞાન છે તો (તે જ્ઞાન) આસ્રવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવર્યું છે?' આ બીજો પ્રશ્ન છે. જો તે જ્ઞાન છે એમ ો તો તે જ્ઞાન આસ્રવોમાં પ્રવર્તે છે કે કેમ? જો આસ્રવોમાં પ્રવર્તે છે તો આત્મા અને આગ્નવોના અભેદજ્ઞાનથી તેની કંઈ વિશેષતા ન થઈ. જ્ઞાન કો અને વળી આસવોમાં પ્રવર્ત-ચિ કરે એમ કો-એ તો એનું એ થયું. પુણ્ય-પાપના ભાવોને ઉપાય કરીને પ્રવર્તે તે જ્ઞાન ભેદજ્ઞાન જ નથી. રાગથી ભિન્ન પડી સ્વભાવને ગ્રહે તે જ્ઞાન ભેદજ્ઞાન છે. અને તે જ્ઞાનમાત્રથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો બંધ અટકે છે, પરંતુ પુણ્ય પાપમાં પ્રવર્તે એ તો જ્ઞાન જ નથી. આસવમાં પ્રવર્તતું અટકે એનું નામ સાચું જ્ઞાન-ભેદજ્ઞાન છે, અને એનાથી બંધનો નિરોધ થાય છે.
જો આસ્રવોથી નિવત્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય?” સિદ્ધ થયો જ કહેવાય. પુષ્ય-પાપના ભાવથી દષ્ટિ ખસીને સ્વભાવમાં એકાકાર થઈ એ જ્ઞાનમાત્રથી બંધન અટકી ગયું. અવિરતિ આદિ રાગ પરિણામ હોય ખરા, પણ હું તો રાગથી ભિન્ન ચિદાનંદઘનસ્વરૂપ છું એવું ભેદજ્ઞાન થતાં બંધ અટકી જાય છે.
હવે કહે છે-“આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાયનું ખંડન થયું.” દયાદાન-પૂજા-ભક્તિ આદિ પુણ્યભાવથી ધર્મ થાય એવા (અજ્ઞાનમય) ક્રિયાનયનું ખંડન થયું. કષાયની મંદતા કરતાં કરતાં ધર્મ થાય એવી ખોટી માન્યતાનું અહીં ખંડન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com